Abtak Media Google News

દારૂ પકડાવ્યાના  મનદુ:ખનું સમાધાન થયા બાદ છરીના ઘા ઝીંકી શ્રમજીવી યુવાનને વેતરી નાખ્યો

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ગઈકાલે   ભરબપોરે એક બુટલેગરે ત્યાં જ રહેતા યુવાનને પોલીસનો બાતમીદાર હોવાની શંકાએ છરીથી હુમલો કરી રહેંસી નાખ્યો હતો. હત્યા નીપજાવ્યાની કલાકમાં જ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર પણ થઈ જતાં પોલીસે કાર્યવાહી કીી હતી. બીજી તરફ યુવકની પત્નીએ બુટલેગર ચિરાગ સામે ફરિયાદ નોંધી હતી.

ભોજાધાર વિસ્તારમાં રહેતી હિનાબેન જીજ્ઞેશભાઇ નરસોતર નામની પરિણાતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બપોરે તેના પતિ જીજ્ઞેશને કોઈનો ફોન આવતા તે બહાર ગયો હતો. અને ત્યાં થોડી જ વારમાં જાણવા મળ્યું કે ચિરાગ ઉર્ફે લંગડો પરમારે તેને છરી મારી દીધી છે. જેથી તે તરત જ બનાવની જગ્યાએ દોડી હતી અને ત્યાં લોહી નીંગળતી હાલતમાં જીજ્ઞેશને પડેલો જોયો. આથી તાબડતોબ તેને સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતકની પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે આજથી પંદર દિવસ પૂર્વે ચિરાગ સહિત ત્રણ શખ્સ રાત્રીના સમયે તેના ઘરે આવ્યા હતા અને ‘તું અમારી બાતમી પોલીસને આપીને અમારો દારૂ પકડાવે છે’ તેમ કહી જીજ્ઞેશને માર માર્યો હતો. ત્યારબાદ ચિરાગ સાથે આ બાબતે સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ આજે ફરી જીજ્ઞેશને ફોન કરીને બોલાવી ચિરાગે છરી વડે તેની હત્યા નીપજાવી નાખી. જો કે ચિરાગ આ હત્યા નીપજાવ્યા બાદ સામેથી થોડા જ કલાકમાં સામેથી પોલીસ સ્ટેશન પર હજાર થઈ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.