Abtak Media Google News

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જેતપુરમાં ચુંટણી સમયે જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. વેલજીભાઈ જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ ઉપરાંત તેઓ નશાબંધી અને આબકારી ખાતા તેમજ પછાત નિગમના ડીરેક્ટર પદે પણ રહી ચુક્યા હતા.

જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાના નિધનની દુ:ખદ ઘટનાને પગલે ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તાલુકા પ્રમુખના અકાળે નિધનથી ભાજપના તમામ રોડ શો રદ કરવામાં આવ્યા છે. ગઈકાલે જયેશ રાદડિયાની યોજાયેલી સભામાં તેમનું ઉદબોધન છેલ્લું ઉદબોધન બની ગયું .

ગઈ કાલે જેતપુરમાં યોજાયેલી સભામાં વેલજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું આજે વહેલી સવારે નિધન થયું છે. હાર્ટ એટેકને લીધે અવસાન થતાં ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યાં છે. ગત રાત્રીએ યોજાયેલી જેતપુર ભાજપની સભામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગઈ કાલે કોંગ્રેસના ઉમેદવારને પણ આવ્યો તો હાર્ટ એટેક

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને ગઈકાલે હાર્ટ એટેક આવતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.