તાજેતરમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે ગીર સોમનાથ જીલ્લાના સૌ પ્રથમ એવા અગ્રણી એડવોકેટ શ્રી મહેન્દ્રસિંહ વાળા ની નિયુકત થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ પરીવાર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.શ્રી મહેન્દ્રસિંહ વાળા છેલ્લા કેટલાય સમયથી સોમનાથ વિસ્તારમાં વિવિધ સમાજ ઉપયોગી સેવા કાર્યો અને શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે સંકલન કરી વિવિધ સેવા પ્રકલ્પોમાં સહભાગી થઇ સેવા આપી રહેલ છે ત્યારે શ્રી વાળા ની ગીર સોમનાથ જીલ્લામાંથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે નિયુકતી કરવામાં આવતા તેમનું સન્માન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, શ્રી સુરૂભા જાડેજા, શ્રી જીતુપુરીબાપુ, શ્રી ઉમેદસિંહ જાડેજા તથા સ્ટાફ મીત્રોની ઉપસ્થિતીમાં સાગરદર્શન હોલ ખાતે વિશીષ્ટ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે શ્રી મહેન્દ્રસિંહ વાળા ને રજવાડી સાફો પહેરાવી સોમનાથ મહાદેવની પ્રસાદ સાથે ફુલહાર કરી સન્માન કરવામાં આવેલ હતું તેમજ આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન અને સંકલન શ્રીમીલનભાઇ જોષીએ કરેલ હતું.
Trending
- આ હોળીમાં ઠંડાઈને બદલે ટ્રાઈ કરો વિટામિન્સથી ભરપુર પાઈનેપલ લસ્સી
- IPL 2024 : વિરાટ કોહલી નવા લુક સાથે મેદાન પર જોવા મળશે…
- ઘર પાસેથી નિકળવાની ના પાડતાં પિતા-પુત્ર પર હૂમલો
- 60 વર્ષની નીતા અંબાણીની ફિટનેસનું રાઝ બધાને ચોંકાવી દેશે!!!
- Nvidiaએ AI કોન્ફેરેન્સમાં લોન્ચ કરી નવી AI ચિપ…
- હું નપુંસક છું, શરીર સુખ પિતા-ભાઇ આપશે કલ્યાણપુરની પરિણિતાની ફરીયાદ
- પાટીદાર દીકરીઓ વિશે કાજલ હિન્દુસ્તાનીનો બફાટ
- IPL 2024 : ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરતી, IPLમાં ટીમો કેવી રીતે કરે છે કમાણી ?