Abtak Media Google News

વ્રત કરવાથી તમામ અશૂભ તત્વોનો નાશ થાય છે

આવતીકાલે શનિવારે પાપમોચીની એકાદશી છે આ દિવસે  ભગવાન ના દિવસે સૂકોમેવો ધરાવવાનું મહત્વ છે અને પીળુ ફૂલ અર્પણ કરવાનુ મહત્વ છે

પાપમોચીની એકાદશી છે.પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા જીવનનાં અશુભ તત્વોનો નાશ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. તથા રિધ્ધિ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.

વ્રત વિધિ: પાપમોચીની એકાદશીનાં દિવસે ઉપવાસ કરવો ઉત્તમ ગણાય અથવા તો એકટાણું કરવું. સવારનાં સ્નાન કરી અને બાજોઠ અથવા પાટલા ઉપર પીળુ વસ્ત્ર પાથરવું અને તેનાં ઉપર ચોખાની ઢગલી કરી અને શ્રીકૃષ્ણ ભગવાનની છબી અથવા મૂર્તિ પધરાવી દિવો અગરબત્તી કરવા. ભગવાનને પીળા ચંદનનો ચાંદલો ચોખા કરવા પીળુ ફુલ અર્પણ કરવું.

અબીલ, ગુલાલ, કંકુ પધરાવી અગરબત્તી દિવો અર્પણ કરવા નૈવેદ્યમાં સૂકો મેવો તથા પીળા કલર ની  મીઠાઈ ધરવી, આરતી કરવી. ત્યારબાદ વિષ્ણુ ભગવાનનાં 108 કે 1008 નામ બોલવા અને એકાદશીની કથા વાંચવી.બપોરે નિંદ્રા કરવી નહી. રાત્રીનાં 12 વાગ્યા સુધી જાગરણ કરવું. આમ વ્રત કરવાથી પાપનું મોચન થાયછે અને નવગ્રહ શાંતિ થાય છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોશી એ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.