Abtak Media Google News

રાષ્ટ્રસેવા સમિતિ દ્વારા બુધવારની રાત્રે કરાયું આયોજન

રાષ્ટ્ર સેવા સમિતી દ્રારા તા.12/10/2022 રાત્રિના 8:30 કલાકે નાના મવા સર્કલ સિલ્વર હાઈટ્સ સામેના ગ્રાઉન્ડમાં પ્રખર રાષ્ટ્રભક્ત – તેજાબી વક્તા કપીલ મિશ્રાનો જનસવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

યુવાનો પોતાના દેશ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય ભાવના દાખવે, રાષ્ટ્રભકિત તરફ વળે, ભારત માતાને રાષ્ટ્રના પરમ વૈભવનાં શીખરો ઉપર લઇ જવા માટે આગળ વધે, રાજનીતિમાં પણ સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાનો આગળ વધે, દેશમાં સુશાસનની સ્થાપના થાય, રાજકારણમાં પણ રાષ્ટ્રભાવના પ્રબળ બને આવા વિષય સાથે તેજાબી વક્તા – પ્રખર રાષ્ટ્રભક્ત કપીલ મિશ્રા વિશાળ સંખ્યામાં જનસંબોધન કરવાના છે.

રાષ્ટ્ર સેવા સમિતીના સંયોજક ગુણવંતભાઈ ડેલાવાળા, પરેશભાઈ ગજેરા, મુકેશભાઈ દોશી, ડી.વી.મહેતાએ જણાવ્યું છે કે આ કાર્યક્રમ એક ચોક્કસ ‘વિચારધારા’ ધરાવતા લોકો માટેનો છે. રાષ્ટ્રભાવના દ્રારા દેશ પ્રગતિ કરે, વધુમાં વધુ યુવાનો આગળ આવે, દેશમાં અંધાધૂંધી – અરાજકતા ફેલાવનારા ખોટી લાલચ, પ્રલોભન આપનારા તકવાદી રાજકારણીઓથી યુવાનો ગેરમાર્ગે ન જાય, ખરેખર આવા તક્વાદીઓની અસલીયત શું છે એ હકીકત ઉજાગર કરવાનો આ કાર્યક્રમ છે, આ કાર્યકાર્મમાં વધુ ને વધુ  લોકો જોડાય તે માટેના પ્રયત્નો શરૂ કરાયા છે.

આ અંગેની વિશેષ માહિતી આપતા રાષ્ટ્ર વિકાસ સમિતીના સભ્યો ઘનશ્યામભાઈ હેરભા, મિલનભાઈ કોઠારી, શૈલેશભાઈ જાની, પરિમલભાઈ પરડવા, જયેશભાઈ ઉપાધ્યાય, રવિભાઈ ચાંગેલા, ઉપેનભાઈ મોદી, કિરીટભાઈ આદ્રોજા, સુજીતભાઈ ઉદાણી, યોગીનભાઈ છનીયારા, કાંતિલાલ ભુત, અજયભાઈ જોશી, ડેનિશભાઈ આડેશરાએ જણાવ્યું છે કે આ કાર્યક્રમમાં રાજકોટની વિવિધ સંસ્થાઓ, એસોસિએશન, ઉધોગકારો, શાળા, કોલેજના સંચાલક મંડળના સભ્યો વકીલો, વિવિધ સમાજના આગેવાનો વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડાઓ મોટી સંખ્યામાં જોડાય એવો પ્રયત્ન કરાશે. આ કાર્યક્રમમાં વધુ ને વધુ લોકો જોડાય તે માટે પ્રયત્ન શરૂ કરાયા છે

આ કર્યક્રમની વિશેષ માહિતી માટે ગુણવંતભાઈ ડેલાવાળા મો.98240 40889, મુકેશભાઈ દોશી મો. 98250 77725. ડી.વી. મહેતા મો. 98980 26664 ઉપર સંપર્ક કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.