Abtak Media Google News

કપિલ શર્માના ટીવી શો માટે પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુને ગ્રીન સિગ્નલ મળી ગઇ છે. પંજાબના એર્ટોની જનરલ અતુલ નંદાએ કહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ કેબિનેટ મંત્રી રહેવા સાથે ટીવી શો કરી શકે છે. આ સાથે જ એટોર્ની જનરલની સલાહ બાદ મુખ્યમંત્રી કેપ્ટન અમરદિપ સિંહે કહ્યું છે કે સિદ્ધુના ટીવી શો કરવાથી કોઇ મુશ્કેલી આવી શકે તેમ નથી. તેથી તેમનું મંત્રીપદ બદલવામાં નહીં આવે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જો સિદ્ધુનુ શોમાં કામ કરવું તેમના કામમાં બાધક બનશે તો તેમનો વિભાગ બદલામાં આવશે. જો કે તેમણે આ નિર્ણય કરતા પહેલા એટોર્ની જનરની સલાહ લેવાનું જણાવ્યું હતું.

આ મામલો ત્યારેથી ચર્ચામાં છે. જ્યારે મંત્રી પદ ધારણ કરતી વખતે સિદ્ધુએ ટીવી શો ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે હું કોમેડી શો નહીં છોડુ. તેના કારણે મારા કામ પર પણ કોઇ જ અસર નહીં થાય. હું રાત્રે રેકોર્ડિંગ કરીશ અને સવારે ઓફિસ જઇશ. આ કામ મુશ્કેલ ચોક્કસ છે પણ હું તેને ચોક્કસથી ચાલુ રાખીશ. હું પંજાબની ખૂબ જ સેવા કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.