Abtak Media Google News

Table of Contents

કોમેડી કિંગ કપિલ શર્માની મુસીબતો શાંત થવાનું નામ લેતી નથી. કપિલ શર્માના જીવનમાં હાલમાં અનેક મુસીબતો આવી ગઈ છે અને તે એકલો આનો સામનો કરી રહ્યો છે. સુનીલ ગ્રોવર તથા ચંદન પ્રભાકરે કપિલ શર્માના શોમાં શૂટ કરવાની ના પાડી દીધી છે. તેના સ્થાને અહેસાન કુરૈશી, સુનીલ પાલ તથા રાજુ શ્રીવાસ્તવને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ તે વાત આગળ વધી શકી નહીં. હવે, બોલિવૂડ સેલેબ્સે પણ કપિલ શર્મા સાથે શૂટ કરવાની ના પાડી દીધી છે.

શો નું શૂટિંગ થયું કેન્સલ :
સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગર બાદ સુગંધા મિશ્રાએ પણ શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. કિકુ શારદા અને રોશેલ રાવ આખા શોની જવાબદારી ઉઠાવી શકે તેમ નથી. આટલું જ નહીં બુધવાર(22 માર્ચ)ના રોજ બોલિવૂડના કોઈ પણ સેલેબ્રિટીએ કપિલના શોમાં આવવાની ના પાડી દીધી હતી. અંતે આ દિવસે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું.

રડી પડ્યો કપિલ શર્મા :
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ રીતે સતત બીજીવાર શૂટિંગ કેન્સલ થતાં સેટ પર કપિલ શર્મા રડી પડ્યો હતો. આ પહેલાં ‘નામ શબાના’ની ટીમ આવી ત્યારે પણ કપિલ શર્મા એક્ટર મનોજ બાજપેઈ આગળ રડી પડ્યો હતો.

કપિલ શર્મા ફિલ્મ માટે લેવા માંગે છે બ્રેક :
કપિલ શર્માએ ચેનલને કમિટમેન્ટ આપ્યું હતું કે તે ‘ફિરંગી’ના શૂટિંગ માટે બ્રેક પર જાય તે પહેલાં એડવાન્સમાં એપિસોડ શૂટ કરીને આપશે. કપિલની વાત માનીને ચેનલે કપિલને બ્રેક પર જવાની પરમિશન આપી હતી. હવે, શૂટિંગ સતત કેન્સલ થતાં જાય છે અને કપિલ ચેનલને આપેલું વચન પૂરી કરી શકે તેમ લાગતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.