Abtak Media Google News

પ્રાકૃતિક સફાઈ કામિંદાર અને ખાસ કરીને વનવિસ્તારમાં મૂર્ત પશુઓના કંકાલ નો નિકાલ કરનાર ગીઘનું કુદરતી પર્યાવરણ કડીમાં ખૂબ જ મહત્વ રહ્યું છે , પર્યાવરણની સ્વચ્છતા અને ખાસ કરીને મૃત પશુઓના કંકાલ થી રોગચાળો ન ફેલાય તે માટે ગિઘનું અસ્તિત્વ ખૂબ જ અનિવાર્ય માનવામાં આવે છે ધર્મ અને પૌરાણિક શાસ્ત્રોમાં પણ ગીઘના પાત્રને પરોપકારી દર્શાવવામાં આવ્યું છે રામાયણમાં જટાયુ એ જાનનું જોખમ વહોરીને ભગવાન રામને સાચી પરિસ્થિતિ ની જાણકારી આપી હતી.

Vultures1 1

માત્ર માનવજાત નહીં સમગ્ર જીવ સૃષ્ટિ માટે ગીધ એટલા માટે જરૂરી છે કે વિશાળ વન વગડા અને સીમ વિસ્તારોમાં સતત પણે થઈ રહેલા પશુ પક્ષી કોના મૃત્યુ કયા બાદ કંકાલ નો નિકાલ કરવો શક્ય નથી ડુંગર ટેકરાથી તે કોઈપણ જગ્યાએ મૃત્યુ થયું હોય તો કિલોમીટર દૂરથી ગીઘને તેની જાણકારી થઈ જાય છે અને તેનો કુદરતી નીકાલ કરવાની પોતાની ફરજ બજાવે છે , જો આ પક્ષી નું અસ્તિત્વ ન હોય તો કંકાલ ઓ ના પ્રદુષણ અને દુર્ગંધથી ખેલાતા વાયરસ અનેક મહામારીનું કારણ બને, આ પક્ષીની મહત્ત્વતા અંગે પારસી ધર્મ ની અંતિમ વિધિ સમજવી જોઈએ પારસી ધર્મમાં મૂળ કોના શબની દફનવિધિ કે અગ્નિસંસ્કાર થતા નથી પરંતુ આ મુદ્દે હોને ગીઘના હવાલે કરી દેવામાં આવે છે આ પ્રભાતી એવો મેસેજ મળે કે કુદરતી સફાઈ કામદાર જીદના અસ્તિત્વ માટે માનવ હાડમાંસ આપવા પડે તો પણ ખોટ નથી.

પર્યાવરણના પ્રદૂષણથી જંગલ ના વિનાશ થી અને માનવીય ખલેલ થી આ પક્ષી અત્યારે અસ્તિત્વનો જંગ ખીલી રહ્યું છે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં હવે આંગળીના વેઢે ગણી શકાય કેટલી જગ્યાએ પ્રકૃતિના આ સફાઈ કામદાર નું અસ્તિત્વ છે ભગવાન નિર્દોષ અને એકાંતવાસી પ્રકૃતિ સફાઈ કામદારો પરહવે માણસ અને પશુઓ ને આપવામાં આવતી દર્દશામક દવાઓ નું જોખમ ઊભું થયું છે. ગીધ પર સતત સંશોધન ચાલી રહ્યું છે

તાજેતરમાં આવેલા એક અભ્યાસના તારણમાં ગીધ પર હવે જોખમ ઉભુ થયું છે ગુજરાતમાં ગીઘના મૂર્તિ બાદ કરવામાં આવેલા  માનવી અને પ્રાણીઓને આપવામાં આવતા દર્દશામક દવા ઝેર બનીને ગીઘને મોતના મુખમાં ધકેલી રહી છે. ગુજરાત ના ગીઘ ઉપર સંશોધન કરી રહેલા કંચન નંબીર જાન, સુબ્રમણ્યમ મુરલીધર, આદિત્ય રોય અને સૌરાષ્ટ્રના શશીકાંત જાદવ દ્વારા ગુજરાતના સફેદ ગીધ ના અભ્યાસમાં સાણંદ અમદાવાદ અને સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં થી મળી આવેલા બે ગીઘના મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાવતાં મૃત્યુના કારણ માં માનવી અને પ્રાણીઓને આપવામાં આવતી દર્દશામક દવાઓ નું જેરી સ્વરૂપ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું ટોક્સ ઇકોલોજીકલ સેન્ટરના રિપોર્ટમાં એવું બતાવવામાં આવ્યું છે કે ગીધો ને માનવી અને પ્રાણીઓને આપવામાં આવતી દર્દશામક દવાઓ નિમેસ્યુંલાઈટ ગીઘને મોતના મુખમાં ધકેલે છે

ગીઘને બચાવવા માટે કાર્યરત સેવિંગ એશિયન વલચર એક્ષીનસન. “સે વ”સંસ્થાના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને પશુ સંવર્ધન મંત્રાલયને ગીધ માટે ઘાતક બની રહેતા નીમેસ્યુલિદ ના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવું જોઈએ તેવી માંગણી છે. ગુજરાતમાં ગીધ ની વસ્તી ગણતરી પ્રથમ 2005માં થઈ ત્યારે રાજ્યમાં 2642 પક્ષીઓ હતા, ત્યાર પછી 2018માં માત્ર 820 પક્ષીઓ બચ્યા હોવાનું ખુલ્યું હતું 2005થી 2018 સુધીમાં 70 ટકાનો ઘટાડો સામે આવ્યો છે.

ગીધ પક્ષીઓના પોસ્ટમોટરમમાં મૃત્યુનું કારણ દર્દ શામક દવાઓ  નમેસ્યુલય જવાં ગીઘની મોત માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું છે પક્ષીઓના મૃત્યુનું કારણ શું છે ત્યારે કુદરતી સફાઈ કામદાર નું અસ્તિત્વ સાચવવું હશે તો ગુજરાતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને પશુ સંવર્ધન મંત્રાલય ને હાથ મેળવીને આ દવા ને કમસેકમ રાજ્યભરમાં અથવા તો જયા ગીધની  ધ્યાન ધોની વસતિ છે ત્યાં પ્રતિબંધિત કરવી જોઈએ આ દવા યુરોપિયન મહાસંઘે તો ક્યારની પ્રતિબંધિત જાહેર કરી છે હવે ગીધની વસ્તી ધરાવવાનું શ્રેય ધરાવતા ગુજરાતમાં પ્રતિબંધિત કરવી જોઈએ ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢના ગિરનાર માં અને ગીરમાં કેટલીક જગ્યાએ અતિ દુર્લભ ગણાતા સફેદ ગીત સહિતના ગીધોની આંગળીના ટેરવે ગણાય એટલી જ વસ્તી બાકી રહી છે

કુદરતના આ સફાઈ કામદાર નું અસ્તિત્વ અનિવાર્ય છે ત્યારે તેમને બચાવવા માટે ગમે તે કરવું પડે કરવાની તૈયારી રાખવી જ પડશે નહીં તો કીધું નહિ હોય તો મોત પશુ-પક્ષીઓના કંકાલ નિકાલ નહીં થાય અને કોહવાયેલા મૃતદેહોથી  જ મહામારી આવે તેના માટે તૈયાર રહેવું પડશે પારસી ધર્મમાં ગીઘનું  મહત્વ સમજાવતી અંતિમ સંસ્કારની પદ્ધતિમાં એવો સંદેશ આપવામાં આવ્યો છે જીવ સૃષ્ટિ માટે જરૂરી એવા ગીધને બચાવવા માટે માણસે માત્ર તેમની સુરક્ષાની વ્યવસ્થા જ નહીં પરંતુ મૃત્યુ પછી તેમનો દેહ પણ આ પક્ષીને આપીને પ્રકૃતિની અંતિમ સેવા પણ કરી લેવી જોઇએ જો ગીઘને આપણે નહીં બચાવી તો આપણે નહીં બચીએ તે દરેકને સમજી લેવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.