Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે પી.એન.મકવાણાની નિયુકતી કરતી રાજય સરકાર

ગુજરાત સરકાર દ્વારા 2012 ની બેંચના સનંદી અધિકારી અને સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કે.સી.સંપતને સુરેન્દ્રનગરના કલેકટરનો ફુલફલેઝ ચાર્જ સોંપવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરના ડીડીઓ અને કલેકટર તરીકેનો એડિશનલ ચાર્જ ધરાવતા આઈએએસ અધિકારી કે.સી.સંપતને પ્રમોટ કરવામાં આવ્યા છે અને હવે તેમને સુરેન્દ્રનગર જિલ્લાના કાયમી કલેકટર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

ડીડીઓ તરીકેની કામગીરી માંથી તેમને મુકત કરવામાં આવ્યા છે.ગાંધીનગર સચિવાલયમાં અર્બન લેન્ડ સિલિંગ ખાતાના સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી પી.એન.મકવાણાને સુરેન્દ્રનગર ના ડીડીઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કે.સી.સંપત અનુભવી અને કાબેલ અધિકારી ગણાય છે અને હવે તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના કાયમી કલેકટર તરીકે કામગીરી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.