Abtak Media Google News

ત્રણ સંતાનના પિતાએ લગ્નની ના કહેતા બંને વચ્ચે ઝઘડો થયા બાદ ગળુ દાબી મોતને ઘાટ ઉતારી દીધાની કબુલાત

કેશોદ તાલુકાના પાડોદર ગામની યુવતી અને ત્રણ સંતાનના પિતા વચ્ચે થયેલા પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. પ્રેમીએ લગ્નની ના કહેતા બંને વચ્ચે થયેલા ઝઘડાના કારણે પ્રેમીકાનું ગળુ દાબી હત્યા કર્યા બાદ પથ્થર બાંધી મૃતદેહને ઇશરા ગામના તળાવમાં ફેંકી દીધાનું પોલીસ તપાસમાં બહાર આવતા હત્યાના ગુનામાં પાડોદર ગામના શખ્સની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુજબ પાડોદર ગામની તેજલબેન રમેશભાઇ ચુડાસમા નામના 22 વર્ષની યુવતી ગત તા. 8મીએ ઘરેથી ગુમ થયા અંગેની તેજલ ચુડાસમાના ભાઇ સાગર રમેશ ચુડાસમાએ પોલીસમાં નોંધ કરાવી હતી. પોલીસ અને પરિવાર દ્વારા તેજલ ચુડાસમાની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન પાડોદરાથી 3 કીમી દુર ઇશરા ગામના તળાવમાંથી શરીરે પથ્થર બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

કેશોદ પી.આઇ. બી.બી.કોળી, એએસઆઇ આર.એન.ત્રિવેદી અને રાઇટર સંજયસિંહ ઝાલા સહિતના સ્ટાફે મૃતદેહનું જામનગર મેડિકલ કોલેજ ખાતે પોસ્ટમોર્ટમ કરાવતા તેજલ ચુડાસમાનું ગળુ દાબી હત્યા કરવામાં આવ્યાનો ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન મૃતક તેજલ ચુડાસમાને તેના જ ગામના રાજેશ ઉર્ફે રાજુ ગોપાલ સોલંકી સાથે ચારેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. રાજેશ ઉર્ફે રાજુ પરિણીત હોવાથી લગ્ન કરતો ન હોવાથી બંને વચ્ચે ગત તા.8મી ઝઘડો થતા ગળુ દાબી હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધાનું બહાર આવતા પોલીસે રાજેશ ઉર્ફે રાજુ સોલંકીની ધરપકડ
કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.