Abtak Media Google News

જય વિરાણી, કેશોદ: પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાઓ થતાં જ હોય છે ઘણી વખત એ ઝઘડાઓ વિકરાળ રૂપ ધારણ કરી લેતા હોય છે તેમાં પત્નીઓ આત્મહત્યા કરે તેવી વાતો આપણે સાંભળી જ હોય છે પરંતુ કેશોદમાં એક કિસ્સો એવો બન્યો છે જેમાં પત્ની રિસામણે ચાલી ગઈ તો પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

આ ઘટના કેશોદના વેરાવળ રોડ પરની છે જ્યાં એક યુવક મંજુરી કરી પોતાનું ઘર ચલાવતો હતો. આ યુવાને ગળાફાંસો ખાઈ મોતને ભેટયો છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ તો જાણવા મળ્યું કે  પત્ની રીસામણે ચાલી ગઈ હતી તે વાત દિલ પર લાગી આવતાં તેણે આત્મહત્યા કરી હતી. કેશોદના આ યુવકનું નામ બસીર આમદભાઈ લાખા છે તે વેરાવળ રોડ પર આવેલી ખાનગી લોખંડ સીમેન્ટની પેઢીમાં મંજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.

કેશોદના વેરાવળ રોડ પર મંજૂરી કામ કરતાં શ્રમીક ભાડે વાહનો ચલાવતો હતો. રેકડી, રીક્ષા ખાનગી પેઢીનાં ડેલામાં રાખતાં હતો. જેથી ચાવી એમની પાસે હતી. તેથી વ્યક્તિ જોવા ણ મળતા શોધખોળ કરવામાં આવી અને અંદરનાં ભાગે ગળાફાંસો ખાધેલી હાલતમાં બસીરની લાશ મળી હતી. કેશોદ પોલીસ ને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે મરનાર લાખા બસીર આમદભાઈ ની પત્ની આઠ વર્ષના લગ્નજીવન બાદ થોડા દિવસો પહેલાં રીસામણે જતી રહેલી હોય ત્યારે તે વાત દિલ પર લાગી આવતાં ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.