જીવદયા એ જ સાચી માનવતા અને માનવ સેવા એજ પ્રભુ સેવા પંક્તિઓને સાર્થક કરતા કેશોદના સોના-ચાંદીના વેપારીએ નાનામાં નાના જીવ કીડીથી લઈને પશુ-પક્ષી, માનવીની સેવા કરવા અનોખી ધૂણી ધખાવી છે. છેલ્લાં ૨૦ વર્ષથી અબોલ પશુ-પક્ષીઓ ભૂખ્યાં ન રહે એ માટેની અખૂટ ચિંતા કરે છે. રોજના ૨ કલાકનો સમય ફાળવી ૫ કિલોમીટર ચાલીને પશુ-પક્ષીઓને ખોરાક આપવાનું કામ કરે છે. તેમણે આ કાર્ય માટે અત્યારસુધીમાં કોઈની પાસે પૈસા માટે લાંબો હાથ કર્યો નથી. છેલ્લા બે દાયકામાં અનિલભાઈ ખેરાએ પોતાના ખિસ્સામાંથી પશુ-પક્ષીના ખોરાક માટે ૫૦ થી ૬૦ લાખ રૂપિયા વાપર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ સેવાયજ્ઞ તેઓ જીવશે ત્યાં સુધી પોતાના ખર્ચે જ ચાલુ રાખશે. અનિલભાઈએ જણાવ્યું હતું કે તેઓ તેમના નિત્યક્રમ મુજબ પશુ-પક્ષીઓના ખોરાક માટે નિયત કરેલાં સ્થળો પર જાય છે. કેશોદના રેલવે સ્ટેશન, ભારત મિલ, ચાર ચોક શંકર મંદિર, પોલીસ ક્વાર્ટર, સરકારી દવાખાનું, સરકારી ગેસ્ટ હાઉસ, પીડબ્લ્યુડી, ચાંદીગઢના પાટિયા જેવાં જુદાં-જુદાં સ્થળો પર આવેલાં વૃક્ષો પર મકાઈના ડોડા લટકાવી દે છે. પક્ષીઓ મકાઈના ડોડામાંથી દાણા ચણી જાય પછી વધેલા ડોડાને બીજા દિવસે આવી એકત્ર કરે છે. બાદમાં આ ડોડાને રસ્તામાં રઝળતી ગાયોને આપી દે છે, તેમજ ઘરેથી લોટ સાથે નીકળી રસ્તામાં કીડિયારું પણ પૂરતા જાય છે. આ સિવાય કૂતરા અને બિલાડાઓને ગાંઠિયા અને બિસ્કિટ પણ ખવડાવે છે. મૂડી કે મિલકત કરતાં અબોલ જીવોના ખોરાક માટે વધુ ચિંતા કરતા અનિલભાઈએ જણાવ્યું હતું કે રસ્તા પર રઝળતા ઢોર માટે ક્યારેક તો ખેતર ભાડે રાખે છે. આ ખેતરમાં ગાજર, જુવાર કે મકાઈ વાવી ગાયોને ખવડાવે છે. જો ચારાની તાત્કાલિક જરૂર પડે તો ખેતરમાં ઊભા લીલા ચારાની સીધી ખરીદી કરી લે છે. અનિલભાઇના સેવાના સારથી બનીને તેમની પત્ની, પુત્ર ભાર્ગવ અને પુત્રવધૂ પણ મદદ કરે છે. તેઓ માંથી કોઇ બહાર ગયું હોય તો પરિવારનો કોઇ એક સભ્ય પશુ-પક્ષીઓને ખોરાક પહોંચાડે છે.પરિવારના સભ્યોના સાથ સહકારથી અનિલભાઈ રસ્તા પર ભૂખ્યા રહેતા લોકોને નાસ્તો પણ કરાવે છે. તેમજ શિયાળાની ઋતુમાં આ લોકોને ઓઢવા માટે ધાબળાની પણ વ્યવસ્થા કરી આપે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ