Abtak Media Google News

વિડીયો કોન્ફરન્સથી પોલીસ કમિશ્નર, રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડા સાથે ગૃહમંત્રીએ યોજેલી બેઠકમાં  પોલીસની  કામગીરીને  બિરદાવી

રાજ્યમાં મીની લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ સહિતની કામગીરીની કડક અમલવારી માટે સવા લાખથી વધુ જવાનો ખડેપગે રહી ફરજ બજાવી રહ્યા છે. કોવિડ ગાઈડલાઈન મુજબ લદાયેલા પ્રતિબંધોની અસરકારક અમલવારી માટે રાજ્યમાં 56,616 પોલીસ, 89 એસઆરપીએફ કંપની, 13,361 હોમગાર્ડ જવાનો, 29,444 જીઆરડી જવાનો અને 7,620 ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત  કરાયા છે. કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં અને નાગરિકો સુરક્ષિત રહે તે હેતુસર માસ્ક ન પહેરતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ  છે. રેમડેસિવિર ઈન્જેક્શનની સંગ્રહખોરી-કાળાબજારી અને નકલી ઈન્જેક્શન બનાવતા તત્વો સામે સઘન કામગીરી કરી 32 ગુનાઓ દાખલ  કર્યા  103 આરોપીઓ પૈકી 92ની ધરપકડ કરી રૂ. 1.82 કરોડની કિંમતના કુલ 5,833 રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો જપ્ત  કર્યો છે.

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત ચેક કરવા માટે 50 ઈન્ટર સ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરવામાંઆવી છે. અત્યાર સુધીમાં કુલ 12,563 પોલીસ અધિકારી-કર્મચારી અને એસ.આર.પી. જવાનો કોરોના સંક્રમિત થયા  છે. જેમાં   3,144 કેસ એક્ટિવ, 88 હોસ્પિટલાઈઝ છે. કોવિડ-19 રસીકરણમાં ગુજરાત પોલીસે ઉત્તમ પ્રકારની કામગીરી  કરી 86 ટકા પોલીસ અધિકારી કર્મચારીઓએ રસી લીધી  છે.  રાજયના તમામ પોલીસ અધિકસારી કર્મચારીઓની ફરજનિષ્ઠાને બિરદાવી ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ  અભિનંદન  પાઠવ્ીયા છે. માનવીની જીંદગી બચાવવા માટે સંક્રમિત દર્દીઓને પ્લાઝમા ડોનેટ સહિતની બેસ્ટ પ્રેક્ટિસિસ દ્વારા પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર બની ગઈ છે.

‘ નાગરિકોએ ખાખીની ખુમારી પણ જોઈ છે અને આ મહામારીમાં ખાખીની સંવેદના પણ અનુભવી છે. તેમ જણાવ્યું છે. રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ અટકે અને દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે હેતુસર મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત છેલ્લા એક વર્ષથી અવિરતપણે પ્રજાની પડખે ઉભી રહી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના પોલીસ અધિકારી, કર્મચારીઓએ પણ પોતાના જીવની પરવાહ કર્યા  વિના જોખમે અવિરતપણે સેવાઓ આપી છે. જેના પરિણામે સમાજ જીવનમાં પોલીસની છબિ સાચા પોલીસ મિત્ર તરીકે ઉભરી આવી છે હોવાનું ગૃહ રાજય મત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

આજે ગાંધીનગર ખાતે કોરોનાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે લાદેલા નિયંત્રણોની કામગીરી માનવીય અભિગમ સાથે અસરકારક રીતે કરવા ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ  પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા  આશિષ ભાટિયા, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જયારે તમામ રેન્જ આઈજીપ, કમિશનરઓ, જિલ્લા પોલીસ અધિક્ષકઓ અને સેનાપતિઓ આ વીડિયો કોન્ફરન્સમાં ઓનલાઈન જોડાયા હતા.

આ બેઠક બાદ મીડિયાને વિગતો આપતા મંત્રી  જાડેજાએ રાજ્યના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે કોરોનાની આ મહામારીમાં સમગ્ર દેશમાં જે કોરોના વોરીયર્સ ફ્રન્ટલાઇન સૈનિક તરીકે કામ કરી રહ્યા છે તેમાં પોલીસના ભાગે ખૂબ મહત્વની અને મુશ્કેલ કામગીરી આવી છે જે તેમણે સુપેરે બજાવી છે એ અભિનંદનને પાત્ર છે. નાગરિકોએ અગાઉ ખાખીની ખુમારી પણ જોઈ છે અને આ મહામારીમાં ખાખીની સંવેદના પણ અનુભવી છે.   પોલીસે રાજ્યમાં માત્ર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થાના પ્રિવેન્શન માટે પણ શ્રેષ્ઠ કાર્ય કર્યુ છે.

કોરોના ગાઈડ લાઈનનોઅમલ કરાવવામાં  56616 પોલીસ,  89 એસ.આર.પી. કંપની, 13161 હોમગાર્ડ જવાનો,  2944 જી.આર.ડી. જવાન અને  7620 ટ્રાફીક બ્રિગેડ તૈનાત

મંત્રી  જાડેજાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ મારું ગુજરાત કોરોના મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરી એ માટે અલગ-અલગ વિભાગને આ માટે પ્રયત્નશીલ થવા માર્ગદર્શન પુરૂ પાડ્યું છે ત્યારે કોરોનાની આ મહામારીમાં સંક્રમણની સાંકળ તૂટે તે હેતુસર લગાવવામાં આવેલા નાઈટ કર્ફ્યુ સહિતના પ્રતિબંધોની કડક અમલવારી, ટ્રાફિક મેનેજમેન્ટ માસ્ક ચેકિંગ, ચેકપોસ્ટ પર ચેકિંગ સહિતની કામગીરી માટે એક લાખથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનું દળ રાજ્યભરમાં તૈનાત કરી દેવામાં આવ્યું છે, જેમાં 56,616 પોલીસ, 89 એસઆરપીએફ કંપની, 13,361 હોમગાર્ડ જવાનો, 29,444 જીઆરડી જવાનો અને 7,620 ટ્રાફિક બ્રિગેડના જવાનો રાજ્યમાં નાઈટ કર્ફ્યુ સહિતની કામગીરીની અમલવારી માટે સતત ખડેપગે છે.

ત્યારે સોશિયલ ડિસ્ટસિંગ ન જાળવનાર તથા માસ્ક ન પહેરનારા નાગરિકો સામે કડક કાર્યવાહી કરવા તથા જનજાગૃતિ કેળવવા રાજ્યની પોલીસે કોરોનાકાળમાં સવિશેષ કામગીરી કરી છે. પોલીસે માસ્ક ન પહેરનાર સામે ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં લગ્નપ્રસંગમાં વધુને વધુ 50 વ્યક્તિ જ ઉપસ્થિત રહી શકે છે. આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન થાય તે માટે પણ પોલીસ સતત સર્વેલન્સ રાખી રહી છે. કોરોનાકાળમાં ઓનલાઈન નોંધણી તથા હ્યુમન ઈન્ટેલિજન્સ સાથે સંકલનમાં રહી લગ્નપ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ થાય તે અંગે ચેકિંગ કરી કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.

નકલી ઈન્જેકશન, રેમડેસિવિરના કાળાબજારના  32 ગુના નોંધાયા,
92 શખ્સોની  ધરપકડ, 5833 રેમડેસિવિર ઈન્જેકશન કબ્જે કર્યા

 રેમડેસિવિર ઈન્જેક્શનની સંગ્રહખોરી અને કાળાબજારી ઉપરાંત નકલી ઈન્જેક્શન બનાવવાની વિકૃત માનસિકતા ધરાવતા મોતના સોદાગર સામે પણ  કડક હાથે કામગીરી કરી રાજ્યભરમાં અત્યારસુધીમાં આવા 32 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 103 આરોપીઓ પૈકી 92 આરોપીઓની ધરપકડ પણ કરી પોલીસે રૂ. 1.82 કરોડની કિંમતના કુલ 5,833 રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરી કડક કામગીરી હાથ ધરી છે. નાગરિકોના જીવ સાથે રમત કરી નકલી ઈન્જેકશોના ઉત્પાદન કરનારા તથા સંગ્રહખોરી કરનારા આવા તત્વો સામે મનુષ્ય વધ સહિતના કડકમાં કડક ગુનાઓ દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આવા તત્વો સામે પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા છે. હોવાનું જણાવ્યું છે.

કોરોના સંક્રમિત થયેલા વિસ્તાર એટલે કે ક્ધટેનમેન્ટ ઝોનમાં નાગરિકોની અવરજવર પર સખત નિયંત્રણ માટે પોલીસ ઉપરાંત એસઆરપી હોમગાર્ડ અને જીઆરડી જવાનોને ડિપ્લોય કરવામાં આવી રહ્યાં છે એટલું જ નહીં આ વિસ્તારમાં ડીવાયએસપી,એસપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓને સઘન ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના આટીપીસીઆર  ટેસ્ટ ફરજીયાત ચેક કરવા માટે 50 ઈન્ટર સ્ટેટ ચેકપોસ્ટ અમે ઉભી કરી છે. તે ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ આ પ્રકારની ચેકપોસ્ટ થકી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના આરટીપીસીઆર ટેસ્ટ ચેક કરવામાં આવી રહ્યાં છે.

તેમણે ઉમેર્યું કે, સંક્રમિત દર્દીઓને ઓક્સિજનનો જથ્થો સત્વરે મળી રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા મ્યુનિસિપલ ઓથોરિટી સહિતના અધિકારીઓ સાથે પોલીસ વિભાગ સંકલનમાં રહી સુપેરે કામગીરી બજાવી રહી છે. દર્દીઓને અપાતી ઓક્સીજનની સુવિધા માટે પણ આકસ્મિક સંજોગોમાં ગુજરાત પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને ટૂંકા સમયમાં હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે ઉમદા કામગીરી કરી છે. એટલું જ નહીં કોરોનાકાળમાં અફવા ફેલાવનારા વ્યક્તિઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારજનો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,563 પોલીસ અધિકારી-કર્મચારી અને એસ.આર.પી. જવાનો કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી હાલ 3,144 એક્ટિવ કેસ છે, જેમાં 88 હોસ્પિટલાઈઝ છે, એ માટે જ વેક્સિનેશન પર વધુ ભાર મૂકી પોલીસના 1,65,711 જવાનોને પ્રથમ ડોઝ અને 1,47,904 જવાનોને બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયા છે. રાજ્યના 86 ટકાથી વધુ પોલીસકર્મીઓએ રસી લીધી છે. તે સાથે જ ભારતભરમાં ગુજરાત પોલીસ રસીકરણના મામલે પ્રથમ ક્રમે છે.

રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન જે બાળકોના માતાપિતા કોરોનાના સંક્રમણને કારણે અવસાન પામ્યા હોય તેમજ ત્યજી દેવામાં આવ્યા હોય તેવા બાળકોની સંભાળ દેખરેખ તેમજ તેમની સુરક્ષા કાયદાકીય જોગવાઈ હેઠળ થઈ શકે તે હેતુસર વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નવતર અભિગમ દાખવીને વડોદરા પોલીસ કટ્રોલ રૂમ-, સી ટીમ વડોદરા શહેર પોલીસ હેલ્પલાઈન  ચિલ્ડ્રન હેલ્પલાઈન  શરૂ કરવામાં  આવી છે જેના થકી આવા બાળકોની સારસંભાળ રાખવામાં આવી રહી છે.  તે ઉપરાંત કેટલાંક જિલ્લાઓમાં નાગરિકો માનસિક બિમારીનો ભોગ બન્યા હોવાનું ધ્યાને આવતા પોલિસ દ્વારા મનોચિકિત્સકોની મદદથી તેમના કાઉન્સેલીંગ કરીને તેમની પડખે ઉભા રહેવાનું ઉત્તમ પગલું ભરવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોનાની સારવાર માટે 15 માર્ચના રોજ 41,870 પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે 96,066 પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં 250 આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ 24 કલાક મોનિટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. રાજ્યમાં ઓક્સિજન સાથેના આઇ.સી.યુ. બેડની સુવિધા 15 માર્ચના રોજ 16,045 હતી જે આજે 54,579 આઇ.સી.યુ. બેડ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, રાજ્યમાં એપ્રિલ માસમાં જ રેમડિસિવિર ઇન્જેકશનનો 6 લાખથી વધુ ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જેથી કોઈ દર્દીને સારવારમાં કોઈ કચાસ ન રહે. બેઠકના પ્રારંભે કોરોનાથી સંક્રમિત થયા બાદ જીવ ગુમાવનાર ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ અધિકારી-કર્મચારીઓના દુખદ નિધન સંદર્ભે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ આપવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચના યોગેન્દ્રસિંહ અને હેડ કવાર્ટરના વિક્રમભાઇનું ગૃહ મંત્રી દ્વારા સન્માન

Img 20210506 Wa0229

કોરોના મહામારી દરમિયાન પોલીસ દ્વારા કરાયેલી કામગીરીને રાજય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બિરદાવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ જાડેજા અને પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિક્રમભાઇ પરબતભાઇ ડાંગરની કોરોના વોરિયર્સ તરીકે પસંશનીય ફરજ સાથે માનવતા અભિગમ અપનાવી કરેલી વિશિષ્ટ કામગીરીને ધ્યાનમાં બંનેનું ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સન્માન કર્યુ છે. કોરોના પોઝિટીવ દર્દીઓને પ્લાઝમાંની જરૂરીયાત સમયે હેલ્પલાઇન કાર્યરત કરી 35 જેટલા કોરોના પોઝિટીવ દર્દીઓને પોલીસે પ્લાઝમાં ડોનેટ કરી જીંદગી બચાવવાની ઉમદા કામગીરી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.