Abtak Media Google News

રોયલ પાર્ક ઉપાશ્રયે રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પધાર્યા છે ત્યારે ખુરેશ જમાતના પ્રમુખ જનાબ હબીબભાઈ ગનીબાપુ કટારીયાએ ખાસ મુલાકાત લીધી હતી. જેમાં સમાજ અંગેની મહત્વની ચર્ચાઓની આપ-લે કરી હતી. આ પ્રસંગે જૈન અગ્રણી યોગેશભાઈ શાહ, લલિતભાઈ કોઠારી સાથે રહ્યા હતા ત્યારે સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે, તેમાં અબોલ મુંગા પશુઓની દેખભાળ કરો તથા તેના જીવો બચાવો તેવા આશીર્વાદ આપ્યા હતા. આ આશીર્વાદના ફળસ્વ‚પે ૨૭ અબોલ મુંગા પશુઓના જીવો બચાવી તેને રાજકોટ પાંજરાપોળ ખાતે મોકલ્યા હતા. આ કાર્યના સહભાગી લલીતભાઈ પારેખ, પ્રકાશભાઈ મોદી, યોગેશભાઈ શાહ તથા હબીબભાઈ ગનીબાપુ કટારીયા આ ભગીરથકાર્યના અભયદાનના નિમિત બન્યા હતા.

આ કાર્ય કરવા બદલ જનાબ હબીબભાઈ ગનીબાપુ કટારીયાએ જૈન સમાજના અગ્રણીઓ એડવોકેટ કમલેશભાઈ શાહ, જીજ્ઞેશભાઈ શાહ, સુશીલભાઈ ગોડા, મીલનભાઈ કોઠારી, સી.પી.દલાલ, મયુરભાઈ શાહ, જીતુભાઈ કોઠારી, યોગેશભાઈ શાહ, ઉપેનભાઈ મોદી, સંજયભાઈ મહેતા, મુકેશભાઈ બાટવીયા, મીતુલભાઈ ખેતાણી, પરેશભાઈ સાંગાણી, મનોજભાઈ ડેલીવાળા, પ્રતિકભાઈ સંગાણી વિગેરે જીવદયા પ્રેમીઓએ અભિનંદન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.