Abtak Media Google News

સુલેહ શાંતિ ડહોળતા શખ્સો સામે પોલીસે કરી કાર્યવાહી

 

અબતક,ઋષી મહેતા, મોરબી

ધંધુકાના યુવાનની હત્યાના પગલે રાજયભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે વાંકાનેરના નવાપરામાં રહેતા કોળી યુવાન અને મિલપ્લોટમાં રહેતા મુસ્લિમ યુવાન વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટ્સ મુકવા બાબતે બોલાચાલી થઈ હતી. પરંતુ મોરબી પોલીસની સોશિયલ મીડિયા પરની બાજ નજરને પગલે જાણ થતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.અમદાવાદ જીલ્લાના ધંધુકા ખાતે કિશન ભરવાડ નામના યુવાની હત્યાના પ્રત્યાઘાત  પડે તે માટે વાંકાનેર પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ધંધુકા હત્યા મામલે અમુક આવારા તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતી તથા શાંતી ડહોળવાનો અને બે કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાઉ અને શાંતી ભંગ પ્રયાસ કરાયો હોવાની જાણ થાત તત્કાલીક તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળેલ કે નવાપરાના કોળી યુવાન તથા મીલપ્લોટના મુસ્લીમ યુવાન વચ્ચે ઈન્ટાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતે બન્નેને શોધી કાઢી સાચી હકીકત જાણીને સામાવાળા વિરૂધ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.

વાંકાનેર શહેરમાં શાંતી જળવાઈ રહે તે માટે તુરત જ કાર્યવાહી કરવામાં આવી હતી હાલની પરીસ્થતિ ધ્યાનમાં રાખીને મોરબી જીલ્લા સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડીયા સાઈટ ઉપર અલગ-અલગ ટીમો બનાવીને આવી પ્રવૃતિ કરતા ઈસમો ઉપર સતત બાજ નજર રાખવામાં આવી રહેલ છે અને જો કોઈ આવી પ્રવૃત્તિ કરતા માલુમ પડશે તો તેઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.