Abtak Media Google News

કુવાડવા ગામ ખાતે થોડા દિવસ પૂર્વે જમીનના પ્રશ્નને એક મહિલાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો જે મામલે તેના પરિવારજનોએ કુવાડવા ગામના સરપંચના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Img 20221010 Wa0094

પરંતુ તે મામલે કુવાડવા ગામના કોળી સમાજ દ્વારા સરપંચના પતિ સંજયભાઈ પોલાભાઈ પીપળીયા વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરી તેને ગુનામાં ફીટ કર્યા હોવાના આક્ષેપો સાથે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવા માટે આવ્યા હતા અને તેમાં તેઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ફરિયાદીઓએ સંજયભાઈ ને ગુનામાં ફિટ કરી સરકારી જમીન પચાવી પાડવા માટે આ સંપૂર્ણ કારસ્તા રચ્યું છે.જેથી તેમના વિરૂદ્ધ થયેલી ફરિયાદ પરત લેવા માટે પોલીસે કમિશનરને આવેદન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.