Abtak Media Google News

ઉપપ્રમુખ તરીકે પ્રફુલ વડેરીયા અને મંત્રી તરીકે કોમલ કાછેલાની નિમણૂક

થોડા સમય પહેલા ઉપલેટા લોહાણા મહાજનના જુના બોર્ડના ટ્રસ્ટીઓના રાજીનામા આવતા લોહાણા મહાજનની સામાન્ય સભા સતીમાતાજીની ડેરી લોહાણા મહાજનવાડી ખાતે બોલાવવામાં આવેલ હતી. આ બેઠકમાં જુના પાંચ ટ્રસ્ટીઓના આવેલ રાજીનામા મંજુર કરી નવા નવ ટ્રસ્ટીઓની નિમણુક કરતો ઠરાવ કરી જીલ્લા રજીસ્ટારને મોકલી આપવામાં આવેલ હતા જયાંથી નવા ટ્રસ્ટીઓના નામ મંજુર થતા આ નવા ટ્રસ્ટની કારોબારીની બેઠક કિરીટભાઈ લાલચેતાના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલ હતી જેમાં પ્રમુખ તરીકે કૃષ્ણકાંત ચોટાઈ, ઉપપ્રમુખ તરીકે પ્રફુલભાઈ વડેરીયા, મંત્રી તરીકે કોમલભાઈ કાછેલા તથા બીરેનભાઈ નથવાણી થતા ખજાનચી તરીકે મનીષભાઈ કાછેલા તથા રાજુભાઈ મહેતાની વરણી કરવામાં આવેલ હતી જયારે કિરીટભાઈ લાલચેતા, સંજયભાઈ ઉનડકટ તથા જયેશભાઈ વસંતની લન્ટરનલ ઓડિટર તરીકે નિમણુક કરવામાં આવેલ હતી. આ નવા બોર્ડની નિમણુક થતા લોહાણા મહાજનના આગેવાનો વેપારીઓએ અભિનંદન પાઠવી આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.