Abtak Media Google News
  • જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મનો ભાર વધે છે ત્યારે ભગવાન જન્મ લ્યે છે
  • પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રીમુખે કથા રસપાનથી શ્રોતાઓ ભક્તિમાં લીન: રાજકીય, સામાજીક, આગેવાનો સહિત સંતો-મહંતોની ખાસ ઉપસ્થિતિ

મહિરાજ બજરંગ બલી ટ્રસ્ટ રીબડા દ્વારા ગોંડલના માજી ધારાસભ્ય મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજા પરિવારના સહયોગથી રીબડા મુકામે ગત તા.20થી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.

ગોંડલ તાલુકાના રીબડા ગામે ચાલી રહેલ આ ભાગવત સપ્તાહમાં સૌરાષ્ટ્રભરમાંથી શ્રોતાઓ કથાનું રસપાન કરવા આવી રહ્યાં છે ત્યારે વ્યાસાસને પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ બિરાજમાન થઇ સંગીતમય શૈલીમાં ભાગવતજીનું મહાત્મ્ય સંભળાવતા શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યાં હતાં. આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા, અનિરુધ્ધસિંહ જાડેજા અને જાડેજા પરિવાર જહેમત ઉઠાવી રહ્યાં છે.

પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ કથાના ચોથા દિવસે શ્રોતાઓને જણાવ્યું હતું કે ગંગામાં ડૂબકી લગાવાથી ગંગા આપણી પાસે આવે છે. ગંગાસ્થાન આપણને શિવરૂપ બનાવી દે છે. ગંગા બ્રહ્માના કમંડળમાં છે. ગંગા સ્નાન પ્રાપ્ત કરવાથી આપણને પુણ્ય મળે છે. ભગવાન આપણને કુવા જેવો કરે ટાંકી જેવો નહિં. કુવામાં પ્રવાહ આવ્યા જ કરે છે. ટાંકી ભરાય પણ પ્રવાહ નહીં. કુવામાંથી ગાળ કાઢ્યે તો પ્રવાહ આવે તેમ આપણા જીવનમાં નવા નીર આવે છે. રામાયણમાં સેતુ બાંધવામાં જેમ ખીસકોલી મદદરૂપ થાય છે. એમ નાનો માણસ પણ સેવા કરી શકે છે. ધર્મના કાર્ય માટે કોઇએ ખપી જવું પડે છે. ભગવાન સૂર્ય પણ છે અને દીપક પણ છે. કથામાં મન હોવું જોઇએ, મન ના હોય તો હાજરી હોવા છતાં કંઇ મળતું નથી. તેમ રમેશભાઇ ઓઝાએ પોતાના શ્રીમુખે જણાવ્યું હતું અને શ્રોતાઓ સાંભળી ભાવવિભોર બન્યા હતા.

કથામાં ભક્તિ પ્રસાદ સ્વામી ખીરસરા સ્વામિનારાયણ મંદિર, દેવરાજભાઇ ગઢવી, સાહિત્યકાર ઉપલેટા, ઓસમાણભાઇ મીર રાજકોટ, હરીશચંદ્રસિંહ જાડેજા ક્ષત્રિય સમાજ અગ્રણી રાજકોટ, હકુભા જાડેજા ધારાસભ્ય જામનગર, અલ્પેશભાઇ ઠાકોર, એ.પી.જાડેજા ડી.વાય.એસ.પી. એ.સી.પી., રાજેન્દ્રસિંહ ઝાલા ડી.વાય.એસ.પી. રાજકોટ, પ્રવિણસિંહ ઉમેસસિંહ જાડેજા રીટાયર્ડ ચેરમેન, વિશ્ર્વરાજ સી.ટી. પોલીસ ગોંડલ, જે.બી.જાડેજા રીટાયર્ડ એ.સી.પી., આર.પી. જાડેજા આર.પી.જે. હોટલ રાજકોટ, કિરીટભાઇ મોઢવાડીયા જીલ્લા ભાજપ પ્રમુખ પોરબંદર, રાજભા ઝાલા માજી સ્ટેન્ડીંગ ચેરમેન આર.એમ.સી. રાજકોટ, શિવલાલ બારસીયા માજી ચેરમેન રાજકોટ, મહેશભાઇ ચૌહાણ હરીવંદના કોલેજ ચેમ્બરર્સ ઓફ કોમર્સ કોલેજ, મુસાબાપા સપાનો પરિવાર અનિબાપુનું સનમા વિગેરે મહાનુભાવો કથામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.