Abtak Media Google News

આ વર્ષે વાવણી લાયક વરસાદ મે થી જુન વચ્ચે થશે

24 મે થી 4 જુન સુધી હેલી થશે

સારા સંશોધક તરીકે જેમની ગણના થાય છે તેવા ધનસુખભાઈ શાહ કે જે એક સામાન્ય માણસ માંથી સંશોધક બન્યા છે.તેમની આ શફર ની શરૂઆત નિલઆર્મસ્ટ્રોંન્ગ પાસેથી પ્રેરણા મળી કે ઓછામાં ઓછા 2 કે 4 વર્ષની મહેનત બાદ તે ચંદ્ર પર પહોંચ્યા હશે ત્યારે આપણે તો ધરતી સાથે જોડાયેલા છીએ આપણી આબોહવા માં જીવીએ છીએ ત્યારે ધરતી પરથી વરસાદ અંગે નું સંશોધન શા માટે ન થાય.

એક ખેડૂત તરીકે તેવો વરસાદ સાથે જોડાયેલા પોતાની જરૂરિયાત માંથી જ માણસ સંશોધન કરે તે વાત ધનસુખ ભાઈ એ યથાર્થ કર્યું છે.1969 માં તેવો એ 36 વર્ષ ની ઉમર થી જ સંશોધન શરૂ કરેલું. તેવો ખેતી કરતા માટે ખેતી અંગે ના પ્રશ્નો થી તેવો માહિતગાર હતા.વાતાવરણનો પણ અભ્યાસ કરતા કરતા એક સંશોધક બન્યા. ખાસ તેવો સૌરાષ્ટ્ર તથા પુનાના સ્થાનિકો પાસેથી ઘણું શીખ્યા છે. પૂનાની 3 હવામાન સંસ્થા તથા પુના ની અગ્રિકલચાર ઇન્સ્ટિટ્યૂટ પણ આવેલ છે જેમાંથી અનેક જ્ઞાન મેળવેલ. આ ઉપરાંત તેવો આકાશ ના પુસ્તકો પણ વાંચતા જેથી દરિયા ની ભરતી સહિતની માહિતીઓ મળી. જેમ પૃથ્વી નો ઉપગ્રહ ચંદ્ર છે તેમ સૂર્ય ના બધાં ગ્રહોની અસર હશે કે નહીં આમ વિચાર કરતા કરતા વિચારો કરી ચોમાસા ના 122 દિવસ વિશે વિચારતા.ખાસ તો 36 વર્ષ સૌરાષ્ટ્ર માં વિતાવ્યા બાદ તેમણે સારો એવો અનુભવ અહીંથી મળેલ. સવિશેષ કોઈ ઘટના ઘટે તે પૂર્વે વ્યક્તિ માહિતગાર હોય તો બચાવ માટે માં પગલાં લય શકે.ખેતી માં તો પૂર્વાનુમાન ખુબજ જરૂરી છે.

નેઋત્ય નો વરસાદ આ ઘણી વાર સાંભળવા મળે છે.હવામાન માં ભેજ નું પ્રમાણ વધે છે એટલે વરસાદ થાય છે.આપણે ત્યા નૈઋત્ય નો પવન આવે ત્યારે ભેજ આવે છે. શિયાળા ના પવન માં ઠંડો પવન આવે છે પરંતુ  ભેજ નથી હોતો.તડકો દજાડે છે જ્યારે ઉનાળા માં તડકો દજળતો નથી. આમ અલગ અલગ ગણતરી થી વરતારો મળે છે.વાદળો ગ્રહો દરેકની પ્રતિક્રિયા અસર કરે છે.ક્યારેક પવન ફરી જાય તો આગાહી ખોટી પણ પળે છે. કારણકે સંશોધન 6 મહિના પહેલા કરેલું હોય છે. વિસ્તાર પ્રમાણે વરસાદ અલગ પડે છે. જેનું કરણ ભ્રુપુસ્ટ છે.દરેક વિસ્તારની આબોહવા અલગ છે જેથી વરસાદ પણ વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે.ઘણી વખત ગણતરી ખોટી પડે છે.પરંતુ તે ગણતરી માંથી ઘણું શીખવા મળે છે.

ધનસુખભાઈ એ જણાવ્યું કે આ વર્ષે વરસાદ ઑગસ્ટ પછી ઓછો છે.એટલે ખેડૂતો એ પાણી ની વ્યવસ્થા કરવી.24 મેં થી 4 જૂન સુધી હેલીજેવો પ્રિમોનસુન વરસાદ થશે.21 જુલાઈ થી અરબી સમુદ્રમાં50  થી 55 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે જો તે પવન ઓમાન તરફ ફંટાય તો વરસાદ નહીં આવે બાકી ખુબજ સારો વરસાદ આવશે.

વરસાદાના વરતારા માટે ગ્રામ્યજનોની રીત તથા આગાહી કરતી સંસ્થાની રીત

03 2

પહેલાના સમય માં ગામડાના લોકો વરસાદ નો વરતારો આપતા જે ક્યાંક તેમને વારસા માં મળેલ હોય છે .હોળીનો પવન,અખાત્રીજનો પવન,કેશુડા, આંબાના મોર આમ દરેક સ્થાનિકો તેમની રીતે પ્રયાસો કરતા હોય છે. ઉદાહરણ તરીકે ગરમાળા ના ફૂલ આવે તેના 40 દિવસ બાદ વરસાદ આવે છે.આવી માન્યતાઓ છે.ખાસ તો આપણી પાસે કોઈ માહિતી લખેલી નહોટી .ત્યારે ધનસુખ ભાઈ એ હવામાન ખાતા પાસેથી તમામ માહિતી લખતા તથા સંશોધન કરતા શીખ્યા. સવિશેષ હવામાન ખાતાપાસેથી તેમણે અનેક અનુભવો મળ્યા અને તેવો એક સંશોધક બન્યા.ખાસ તો જે લોકો પરાપૂર્વ  થી કે અનુભવથી આગાહી કરે છે તેવો આજુબાજુ ના 50 કિલોમોટર ના રેડિયેશન માં ખરી પડતી હોય છે.આમ ખેડૂત જગત માં સંશોધકો નો ખુબ જ અગત્યનો ફાળો છે.

વરસાદ ના વરતારો કરનાર સંસ્થા આઈ આઈ ટી એમ અને આઈ એમ બી.છે કે જેવો સૂર્ય ના રેડિએશન, હવાનો ભેજ,ત્રણ કલાકે આબોહવાની નોંધ કરતા હોય છે.અને એમની ગણતરી ના મેપ દર3 કલાકે આવતા હોય છે.જેના પરથી તેવો આગાહી કરે છે જેમાં સેટેલાઇટ મહત્વ નો ભાગ ભજવે છે.જ્યારથી સેટેલાઇટ સક્સેસ્ફુક સ્થિત થયા છે ત્યારથી હવામાન વિભાગ નું ખૂબ અગત્યનું કામ કરી રહ્યા છે.

 3ઇંચ જટલો વરસાદ પડે તો વાવણી લાયક વરસાદ કહેવાય

વાવણી લાયક વરસાદ એટકે ઓછામાં ઓછો3 ઇંચ જેટલો વરસાદ પડે અને પાણી જમીમ માં ઉતરે તેને વાવણી લાયક વરસાદ કહેવાય જે આ વખતે મેં  થી જૂન વચ્ચે વાવણી લાયક વરસાદ હશે.

ધનસુખભાઇ શાહની વરસાદનો વરતારો આપવાની રીત

ધનસુખભાઈ ભાઈ ની પદ્ધતિ ગ્રામ્ય વિસ્તાર તથા આગાહી કરતી વિવિધ સંસ્થા બન્ને માંથી નવી રીત ઉત્પન્ન કરી છે. દર મેં મહિનાના પેલા બુધવાર  થી અથવા એપ્રિલ મહિનાના છેલ્લા બુધવાર થી ચાલુ કરી આઈ એમ ડી ના દડેટા સાથે વેલીડેસન કરે છે.બુધ થઈ મંગળ ના વિક પ્રમાણે સૂર્યમંડળ માં ગ્રહો ની સ્થિતિ સુ છેઅને તેના અંતર સુ છે તે પ્રમાણે દરેક વિક પ્રમાણે ગણતરી કરી ક્યાં  ગ્રહો નજીક છે વરસાદ કે વાવાઝોડા ની શુ સંભાવના છે એમના અનુભવ ના આધારે આગાહી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.