Abtak Media Google News

સુજલામ સુફલામ જળ સિંચન અભિયાન૨૦૧૮ આનુસંગીક ઉંડા કરવામાં આવેલ જળાયશોને કાંઠે વૃક્ષારોપણ દ્વારા જળ સિંચન અભિયાનને વધારે ફળદાયી અને લોકોભીમુખ બનાવવા માટે રાજકોટ જીલ્લા કક્ષાનો વન મહોત્સવ તથા વૃક્ષા વિતરણ કાર્યક્રમ રાજકોટ ગ્રામ્ય૭૧ ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ની અઘ્યક્ષતામાં સરધાર ગામે મોટુકા તળાવ પાસે રાખવામાં આવેલ.

જેમાં રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ રધુવીરસિંહ જાડેજા માજી પ્રમુખ પૃથ્વીરાજસિંહ (ધોધુભા) જાડેજા સરધાર સ્વામીનારાયણ મંદીરના સંતો તાલુકા પંચાયત સદસ્ય ચેતનભાઇ પણ સરધારના સરપંચ પિન્ટુભાઇ ઢાંકેચા ઉ૫સરપંચ ભુપતભાઇ ધડુકીયા ગ્રામ પંચાયતના સભ્યો ફોરસ્ટ વિભાગના અધિકારી મકવાણા, રાઠોડ વિગેરે ઉ૫સ્થિત રહેલ તેમજ વૃક્ષોનું વિતરણ તથા વૃક્ષારોપણ કરેલ તેમજ ક્ધયા કેળવણી ના ભાગરૂપે હાઇસ્કુલની બાળાઓને ધારાસભ્ય લાખાભાઇ સોગઠીયાના હસ્તે સાયકલનું વિતરણ કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.