Abtak Media Google News

ગારિયાધાર  નગર પાલિકા દ્વારા ફાળવેલ જમીન પર પ્લોટ માં કાંસા મકાન બનાવી વસવાટ કરતા ગરીબ અને શોષીત સમાજ ના લોકો એ ગારીયાધાર મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે  ગારિયાધાર સામે પટેલ વાડી પાસે અમે વર્ષો થી રહતા હતા નગર પાલિકા ગારિયાધાર નિ. તા.૨૭/૦૮/૧૯૯૬  નિ સામાન્ય સભા મા થયેલ ઠરાવ નં.(૯) મુજબ પટેલ વાડી આગળ આવેલ રસ્તા માં ચૂનારા ઓ એટલે કે અમોને દબાણ દુર કરવા સુખનાથ મંદિર ના પૂજારી સહિત ના ઓ ને દબાણ દુર કરવા સારું. ન.પા. નિ માલિકી નિ જમીન માંથી ઔદ્યોગિક વિસ્તાર ના પૂર્વ ભાંગે ખારા ને કાંઠે. ૫૦.ચો.વાર ના પ્લોટ વિના મૂલ્યે સોપવાનું કરવામાં આવી છે અને આ કામગીરી કરવાની જરૂરી તમામ સત્તા પ્રમુખ શ્રી નગર પાલિકા ને આપવાનું કરાવેલ છે ઠરાવ સર્વ નું મતે મંજુર થયેલ છે આ ઠરાવ થી સોપેલ જમીન મા અમો. તા.૧૦/૦૧/૧૯૯૭ થી આજ સુધી રહેતા આવેલ છીએ. ન. પા. ગારિયાધાર ને વેરા તથા વીજળી બિલ ભરી નાગરિક તરીકે ફરજ અદા કરી જગ્યા નો ભોગવટો કરી રહ્યા છીએ પરંતુ સરકાર તરફથી માલિકી સનદ કે પાકું બાંધકામ નિ પરમીટ મળેલ નથી આ વિષયે ન્યાય મેળવવા અમો તમામ પરિવારો દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતા અમો હજુ ન્યાય થી વંસિત હોય. ન.પા. મા રજૂઆત કરતા ત્યાંથી મહે. કલેક્ટર શ્રી સનદ આપસે એવો જવાબ મળે છે તો અમો અભણ ભોળા લોકો તમામ કક્ષાએ રજુઆત કરી થાકી ગયા હોઈ જે વિભાગો નિર્ણય કરવાનો હોય જે અધિકારે સનદ આપવાની હોય અમોને ન્યાય કરી આપો છેલા ૨૫ વર્ષથી રજળતા પરિવારો ને ન્યાય નહીં મળે તો અમો ઘર પરિવાર સાથે. તા.૧/૦૧/૨૦૧૯ થી મામલદાર કશેરી પર ધરણા પ્રદર્શન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.