Abtak Media Google News

આર્મીનો કેમ્પ આખો ભુસ્ખલનની ઝપેટમાં આવી ગયો, 17 જવાનોનું રેસક્યુ, પુરજોશમાં ચાલતું બચાવ કાર્ય

મણિપુરમાં કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે.  નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પાસે બુધવારે રાત્રે 107 ટેરિટોરિયલ આર્મી કેમ્પ ભૂસ્ખલનની પકડમાં આવી ગયો હતો.  આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં જવાનો માટીમાં દટાયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 7 જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 13 જવાનોને બચાવી લેવામાં આવ્યા છે.  તે જ સમયે,  હજી 50થી વધુ જવાનો દટાયેલા હોવાનું સામે આવ્યુ છે.  મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે આ અંગે ઈમરજન્સી બેઠક બોલાવી છે.  ઘાયલોની મદદ માટે તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Screenshot 1 21

ઘાયલોને સારવાર માટે નોની આર્મી મેડિકલ યુનિટમાં લાવવામાં આવ્યા છે.  ભૂસ્ખલનને કારણે ઈઝાઈ નદીના પ્રવાહને અસર થઈ છે.  આ નદી તામેંગલોંગ અને નોની જિલ્લામાંથી વહે છે.  અહેવાલો અનુસાર કેટલાક નાગરિકો પણ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. એક અધિકારીએ જણાવ્યું કે ખરાબ હવામાનના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  સેનાના હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

જિલ્લા વહીવટીતંત્રે નજીકના ગ્રામજનોને સાવચેતી રાખવા અને વહેલી તકે જગ્યા ખાલી કરવા માટે સલાહ આપી છે.  એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કાટમાળના કારણે ઉજાઈ નદી બ્લોક થઈ ગઈ છે.  જેના કારણે એક જગ્યાએ પાણી ભરાઈ જતા ડેમ જેવી સ્થિતિ સર્જાઈ છે.  જો તે તૂટે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ વિનાશ થઈ શકે છે.

આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.  આસામમાં 10 દિવસમાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે, જ્યારે લાખો લોકો અસરગ્રસ્ત છે.  તે જ સમયે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર અને સિક્કિમમાં વધુ વરસાદની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.