Abtak Media Google News

જેએસજી આઈ ડોનેશન ડ્રાઈવ અને વિવેકાનંદ યુથ કલબના સંયુકત પ્રયાસથી

જીવનભર સેવાના પ્રહરી સ્વ. બાબુભાઈ મૃત્યુ પછી પણ બન્યા સતકાર્યના નિમિત

રાજકોટ લેઉવા પટેલ જ્ઞાતિના સેવાભાવી માનવતાવાદી અગ્રણી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સરદાર પટેલ કલચરલ ફાઉન્ડેશનના પૂર્વ ટ્રસ્ટી આટકોટમાં તાજેતરમાં નિર્માણ પામેલ કે.ડી.પી. હોસ્પિટલના પ્રમુખ સ્વ. બાબુભાઈ જીવરાજભાઈ અસલાલીયાનું દુ:ખદ અવસાન થતા,દ્રષ્ટિહીન બાંધવને દ્રષ્ટિ મળી રહે તે માટે પરિવારજનોએ મૃત્યુ બાદ ચક્ષુદાન કરી પ્રેરણાદાયી કાર્ય કરીને સમાજને નવો રાહ ચીંધેલ છે.

સ્વ.ચક્ષુઓનું દાન જૈન સોશિયલ ગ્રુપની આઈ ડોનેશન ડ્રાઈવના ઉપેનભાઈ મોદી અને વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત ચક્ષુદાન જન જાગૃતિના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને ક્ધવીનર અનુપમભાઈ દોશી દ્વારા ચક્ષુદાન કરવામાં આવેલ ડો. ધર્મેશ શાહ દ્વારા સ્વીકારવામાં આવેલ.  સ્વ. બાબુભાઈ જીવરાજભાઈ અસલાલીયા જતા જતા પણ અન્ય બે વ્યકિતઓના જીવનમાં નવી રોશની પ્રદાન કરતા ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.