Abtak Media Google News

રાજકોટને આ કોની નજર લાગી ગઈ? સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં 12 મહિના, 24 કલાક પરમાર્થનાં કામ, દાનપૂણ્ય, ધર્મ અને સેવાના યજ્ઞ ચાલતા રહે છે પ્રજા ઈશ્ર્વર સમિપ રહેવામાં માને છે. અત્યારે રાજકોટને નજર લાગી ગઈ હોય તેમ મહામારીની વક્રતામાં ફરજ તો ઠીક હવે તો માનવતા પણ ભૂલાવા લાગી છે. ડોકટરો છે. ખાટલા નથી. ખાટલા મળે તો, વેન્ટીલેટરની અછત બધુ હોય તો પ્રાણવાયુની અછતથી મોતની મુલાકાત ઝડપી બની ગઈ છે. સ્મશાનમાં પણ વેઈટીંગ ચાલે છે. ભઠ્ઠીઓ તપીને ઓગળી જાય છે. પણ મૃતદેહો ખૂટતા નથી આ પરિસ્થિતિમાં તો હવે ભગવાન જ બચાવે તેવી સ્થિતિનું રંગીલુ રાજકોટ અત્યારે ડુસકા ભરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.