- રહેણાંક વિસ્તારમાં ઘુસી એક સાથે 32 જેટલા ઘેટા બકરાનું મા*ર*ણ લોકોમાં ઓહાપો
- વનતંત્ર દ્વારા મૃ*ત*ક ઘેટા બકરાને ત્યાંથી ખસેડી કાર્યવાહી હાથ ધરાઇ
બગસરાના સાપર ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન સિંહો દ્વારા શાપર ગામની અંદર આવેલા વિસ્તારમાં એક ભરવાડના વંડામાં ઘૂસીને એક સાથે 32 જેટલા ઘેટા બકરાનું મા*ર*ણ કરવામાં આવ્યું હતું.
બગસરાથી તદન નજીક આવેલું શાપર ગામ જ્યાં અવારનવાર સિંહો દ્વારા ઢોર તેમજ ઘેટા બકરા પર મા*ર*ણ કરવાના કિસ્સા બની રહ્યા છે, ત્યારે ગઈકાલના વહેલી સવારના રોજ સવારે ચાર થી પાંચ વાગ્યે દરમિયાન સિંહો દ્વારા રહેણાક વિસ્તારમાં ઘૂસી સોમાભાઈ પાંચાભાઇ શિયાળના વંડામાં એક સાથે 42 જેટલા ઘેટા બકરા બાંધેલા હતા અને આ ભરવાડ પોતે વિકલાંગ હોવાથી તેમનું ગુજરાન આ ઘેટા બકરાના સહારે ચલાવતો હતો. જ્યારે રાત્રી દરમિયાન સિંહો દ્વારા તેમના વડામાં ઘૂસી આ ઘેટા બકરા પર ત્રાટક્યા અને 32 જેટલા ઘેટાને મો*ત*ને ઘાટ ઉતારી દીધા. તેમજ દસેક જેટલા ઘેટા બકરા ઇજાગ્રસ્ત પણ થયા હતા.
આ બાબતની જાણ વન તંત્રને કરતા જંગલ ખાતું ત્યાં તત્કાલ દોડી આવ્યું હતું. અને આ તમામ મૃ*ત*ક ઘેટા બકરાને ઘટના સ્થળેથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ ભરવાડ સમાજ તેમજ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. વન તંત્ર દ્વારા આવા હિં*સ*ક પ્રાણી જેવા કે સિંહ અને દીપડાને સાપર ગામની હદ માંથી ખદેડવામાં આવે તેવી લોકોમાં માંગ પણ ઉઠી હતી. આ ઘેટા બકરાના સહારે ચલાવતા ભરવાડને વળતર ચૂકવવા ભરવાડ સમાજ દ્વારા માંગ ઉઠી છે. જેથી કરીને તેઓ ફરી પોતાનું ગુજરાન ચલાવવા માટે નવા ઘેટા બકરાની ખરીદી કરી શકે તેવી માંગ કરવામાં આવી છે. આવી ઘટના બનતા લોકોમાં ઓહાપો પણ મચી ગયો છે.