Abtak Media Google News

અબતક, રાજકોટ

આજના ભાગદોડભર્યા જીવનમાં ક્યાં કોઈ પાસે સમય છે..!! બસ, જ્યાં જોઈ ત્યાં સમયની જ અછત છે. સમય ચુકો એટલે સારા પાસાં પણ ખરાબ બને. પણ  સૌ કોઈ જાણે છે તેમ સમય જેમડ અમૂલ્ય છે તેમ સંબંધોને સાચવવા સમય આપવો પણ એટલો જ જરૂરી છે. એમાં પણ નોકરી- ધંધા કે વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ આ ખાસ સમજવું મહત્વનું છે. જીવન જરૂરિયાત માટે પૈસા કમાવવા જરૂરી છે પણ આજના આ સમયમાં મોટાભાગના લોકો પૈસા કમાવાની હોડમાં જીવનને ભૂલી જઈ રહ્યા છે.

આજના ભાગદોડભર્યા જીવનમાં ટાઇમટેબલ બનાવી બિનજરૂરી સમય વેડફાતો અટકાવવો ખૂબ જરૂરી

જે પોતાની જિંદગી જ નહીં પણ પોતાની સાથે સંકળાયેલા લોકો સાથે પણ દુર્વ્યવહાર છે. કામ- ધંધાના ચક્કરમાં ઘણીવાર પરિજનો કે સગા વ્હાલાઓને સમય આપવો કપરો બની જતો હોય છે, અને તેના પરિણામ સ્વરૂપ અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. જો તમારે પણ આવી સમસ્યાઓનો સામનો હવેથી ન કરવો હોય તો વ્યવસાયિક જીવન અને અંગત જીવમ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. કારણે કે આજના આ ભાગદોડભર્યા જીવનમાં આજ સંતુલન એક સારું અને ગુણવત્તાસભર શાંતિ-સુલેહથી જીવન જીવવાની રીત છે. જેને જડીબુટ્ટી પણ અવશ્યપણે કહી શકાય.

ચાલો જાણીએ કે આખરે આ સંતુલન જાળવવું કઈ રીતે…ખાસ કરીને એ લોકો માટે કે જેઓ કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આ માટે તમારે નીચે મુજબના પાંચ મુદ્દાઓ અનુસરવા જોઈએ.

  1. સમયાંતરે વિરામ લો.

સતત કામના કલાકો અનિચ્છનીય થાકમાં પરિણમી શકે છે. પરિણામે ઉત્પાદકતા ઓછી થાય છે. શરૂઆતમાં આદત પાડવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ નિયમિત અંતરાલે ટૂંકો વિરામ અવશ્ય લેવો જોઈએ જેનાથી ફાયદો થાય છે. બ્રેક્સમાં આ એકરૂપતા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. વિરામ લેવાથી વ્યક્તિ કામ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

  1. જેમ બને તેમ વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી કામ કરો

આજના ટેકનોલોજીથી ભરપુર એવા આધુનિક યુગમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સરળ બની છે. કોઈ પણ સેવા આંગળીના ટેરવે મળતી થઈ છે. આથી માત્ર ઘરગથ્થુ જ કેમ..?? કામના સ્થળે પણ જેમ બને તેમ વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરી કામ કરવું જોઈએ કારણ કે આથી કામ ઝડપી બનશે અને નકામી જંજટ દૂર થશે. સમયનો વધુ પડતો બગાડ અટકશે.

  1. પ્રાથમિકતાઓ નક્કી કરો

કાર્ય-જીવન સંતુલન જાળવવા માટે, દરરોજ પ્રાથમિકતાઓ સેટ કરવી મહત્વપૂર્ણ છે. આખા દિવસ દરમિયાન ઘણા બધા કાર્યોમાં હાજરી આપવાની હોય છે જેમાંથી ઘણી અનિવાર્ય પણ હોય છે. તેથી આ બધું એડજસ્ટ કરવાની એક અસરકારક રીત એ છે કે આ બધા કામની યાદીઓ બનાવવી. તેમના મહત્વ પ્રમાણે તેમને પ્રાથમિકતા આપો અને તેમને પૂર્ણ કરો. આનાથી તણાવનું સ્તર નિયંત્રણમાં રહેશે, અને વ્યક્તિ ઓછા સમયમાં નિર્ણાયક કાર્યને પ્રાપ્ત કરી શકશે.

  1. બિનજરૂરી વિક્ષેપોને મર્યાદિત કરો

આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હોય અને મોબાઈલમાં ઇન્સ્ટોલ પડેલી અનેક એપ્લિકેશનો કે જે તમારો ટાઈમ ખાય છે. તમારે જે સમય કામકાજ અથવા પારિવારિક બાબતોને સમર્પિત કરવાનો હોય છે તે સમય આવી એપ્લિકેશનો ખાય જાય છે અને તમને ખબર પણ નથી રહેતી. માનો કે તમે કોલ કરવા માટે ફોન ઉપાડો, અને ઈન્સ્ટાગ્રામના વિવિધ મેસેજ તમારું ધ્યાન ખેંચે છે. સૂચના ખોલો; પછી, ક્યારેય ન સમાપ્ત થતા સ્ક્રોલિંગ સત્રથી પોતાને રોકવું અશક્ય છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે ખાસ કરીને કામના કલાકો દરમિયાન સોશિયલ મીડિયા નોટિફિકેશન બંધ રાખવું મહત્વપૂર્ણ છે. તે જ સમયે, આવી એપ્લિકેશનો વિક્ષેપ પ્રદાન કરે છે, જે ઘણીવાર જરૂરી હોય છે, તેથી સોશિયલ મીડિયા માટે સાંજ અથવા સવારના સમયે એક કલાકથી વધુ સમય ફાળવો નહીં.

  1. વીકએન્ડ માટે ટૂ-ડુ લિસ્ટ બનાવો

વ્યક્તિએ અંગત, કૌટુંબિક કામોને પ્રાથમિકતા આપવી જોઈએ. જ્યારે રજા હોય ત્યારે ઘરના સભ્યો, સગા સંબંધીઓ કે નજીકના લોકોને સમય આપવાનું પસંદ કરો. આનાથી તમે હળવાશ અનુભવી શકશો અને કામના બોજામાંથી રાહત મેળવી યોગ્ય રીતે રજાનો આંનદ માણી શકશો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.