Abtak Media Google News

હિતેશ રાવલ,સાબરકાંઠા

સમગ્ર ભારત વર્ષમાં અજય ગણાતો ઈડર ગઢ જાણે કે માલેતુજાર લોકોના હાથે પરાજિત થયો હોય, તેમ ખનન માફિયાઓ દ્વારા નિશ્ચિત નાબૂદ થઇ રહ્યો છે. જો કે ઇડરની સ્થાનિક જનતાએ હવે તંત્રની સામે અહિંસક આંદોલનની ચિમકી આપી છે. ઇડરગઢ એ સાબરકાંઠા નું અભિન્ન અંગ છે. એક ઐતિહાસિક મહત્વ ધરાવતું ઇડરગઢ હવે ખનન પ્રવૃત્તિની ચરમસીમાઓ પર પહોંચી ગયું છે. વારંવાર આવેદનપત્રો આપવા છતાં તંત્ર તરફથી કોઈ સારો પ્રતિભાવ ન મળતાં ઇડરગઢ બચાવો સમિતિએ અભિયાન છેડ્યું.

એક તરફ ઈડર ગઢ ઉપર ખનન પ્રવૃત્તિ માટે થઈ રહેલા બ્લાસ્ટને પગલે તળેટીમાં પથ્થર પડવાની પણ શરૂઆત થઇ છે. જોકે તંત્ર આ મામલે તદ્દન અજાણ હોય તેમ જણાઈ રહ્યું છે. ઈડર ગઢ ઉપર શ્રીમદ રાજચંદ્રથી લઈ રાજા વચ્છરાજ સુધી કેટલીયે જગ્યાઓ પૌરાણિક બની રહી છે. અમૂલ્ય વારસો ધરાવતી આ જગ્યા માટે કેટલાય પ્રવાસીઓ અને સહેલાણીઓ કુદરતી સૌંદર્ય સહિત પૌરાણિક ઝલક મેળવવા આવતા હોય છે, ત્યારે ખનન પ્રવૃત્તિના પગલે દિન-પ્રતિદિન વન્ય પ્રાણીઓ સહિત સ્થાનિક કક્ષાએ વસવાટ કરતા લોકોમાં પણ ગભરાટ ફેલાયો છે.

Screenshot 3 29

આ ઈડરગઢમાં ખનન પ્રવૃતિને અટકાવવા માટે આજે સમગ્ર ઈડર જિલ્લામાં આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે. ઈડર શહેરમાં આજે તમામ રોજગાર ધંધા રોજગાર બંધ રાખવામા આવ્યા છે, સમગ્ર વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવામા આવી છે. ઈડરિયા ગઢને બચાવવા માટે માર્કેટ યાર્ડ,બાર એશોશિયેશન સહિત દરેક સમાજ પણ આ આંદોલનના સમર્થનમાં જોડાયા હતા. જિલ્લાના નાનામોટા સંગઠનોને પણ આ આંદોલન જોડાયા હતા. આ ઘટના બાદ સરકાર શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.