Abtak Media Google News

જેનું ની પવિત્ર તીર્થ નગરી પાલીતાણા ખાતે હાલ ચોમાસાને લઈને ચાતૃમાસ ચાલી રહ્યો છે ત્યારે અનેક સાધુ સાધ્વી ભંગવતો પ્રસ્થાન થઈ રહ્યા છે ત્યારે આજે પાલીતાણા શત્રુંજય ઉત્સવ 2022માં સાધુ સાધ્વી ભગવંતોનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રયશ વિજયજી મહારાજ સાહેબની ઉપસ્થિત કાર્યક્રમો યોજશે ત્યારે  સાયલા રાજસ્થાન નિવાસી હાલ વિજયવાડા હૈદરાબાદ કબદી પરિવાર દ્વારા ભવ્ય ચાતૃમાસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હજારોની સંખ્યામાં જૈન યાત્રીકો ઉમટી પડ્યા હતા અને આજે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી તળેટીથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું જે કાર્યક્રમ બે મહિના સુધી ચાલશે.

ચોમાસુ એટલે આરાધના નો ઉમંગ ચોમાસું એટલે વિરાધનાથી વિરામ,  વરસાદના દિવસોના કારણે ચોમાસામાં ચાર મહિના સુધી વિશેષ રૂપે જીવોતપતિ થવાથી જીવહિંસા થવાની સંભાવના રહે છે આના કારણે ચાર માસ સુધી પૂજન સાધુ સાધ્વી ભંગવતો વિહાર કરતા નથી ચોમાસામાં ચાર માસ શ્રી શેત્રુંજય મહાતીર્થની યાત્રા પણ બંધ રહે છે ત્યારે પાલીતાણામાં શત્રુંજય ઉત્સવ 2022 દ્વારા ચાતૃમાસનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં જૈન યાત્રીકો સાધુ સાધુ ભગવંતો જોડાયા હતા અને આજે ભવ્ય રીતે નગરી તૈયાર કરવામાં આવી છે જેને નિહાળવા યાત્રિકો ઉમટી રહ્યા છે

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.