Abtak Media Google News

ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજૂ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપ્યા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને આજથી ધર્મ સ્વાતંત્ર્ય ધારા અધિનિયમ-2021નો અમલ શરૂ કરાવ્યો છે. જેથી ગુજરાતમાં આજથી લવ-જેહાદના કાયદાની અમલવારી કરવામાં આવશે. જેમાં કોઈ પણ લોહીના સબંધ ધરાવતી વ્યક્તિ લવ-જેહાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકશે. આ કાયદામાં હવે ધર્મપરિવર્તનના ઇરાદે લગ્ન કરનારની હવે ખેર નથી. કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખતા આરોપીને 5થી 7 વર્ષની સજા અને રૂ.3 થી રૂ.5 લાખ સુધીના દંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિધર્મી દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ રોકવા માટે વિધાનસભામાં પસાર કરેલા લવ-જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદાનો આજથી ગુજરાતમાં અમલ શરૂ થઈ ગયો છે.

લોહીના સગપણવાડી કોઈ પણ વ્યક્તિ લવ-જેહાદની ફરિયાદ નોંધાવી શકશે

ધર્મપરિવર્તનના ઇરાદે લગ્ન કરનારની હવે ખેર નથી: 5થી 7 વર્ષ સુધીની સજા અને રૂ.3થી 5 લાખ સુધીના દંડની જોગવાઈ

આજથી લવ-જેહાદના કિસ્સામાં નવી કલમ 3ક દાખલ કરવામાં આવવાની છે, જેને લઇને વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલી વ્યક્તિ તેનાં માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાન નથી પણ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિ હકૂમત ધરાવતા પોલીસ મથકમાં પ્રથમ માહિતીનો અહેવાલ આપતાંની સાથે જ ફરિયાદ દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા લવ-જેહાદના કેસમાં કડક સજાની પણ જોગવાઈ કરી છે. જેના આધારે 5 વર્ષની સજા સાથે રૂ.2 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તો અનુસૂચિત જાતિ અને જનજાતિ સ્ત્રી સાથેના સરકાર દ્વારા 7 વર્ષની સજા અને રૂ.5થી 7 લાખના દંડની જોગવાઈ કરાઈ છે. આ સાથે બીજી તરફ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લવ-જેહાદ અને ક્લિનિકલ એસ્ટાબલિસમેન્ટ વિધેયકને પણ મંજૂરી આપવામાં આવી છે.

લવ-જેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરતા હોય છે. સરકારે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં કાયદામાં ઉમેર્યા છે. કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ માટેની જોગવાઈમાં તપાસ નાયબ પોલીસ અધીક્ષકથી ઊતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં, જેથી નવી કલમ-4થી કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને અથવા કોઈ વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરીને ધર્મપરિવર્તન એકમાત્ર હેતુના સંબંધમાં શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે. ગેરકાયદે ધર્મપરિવર્તન દ્વારા લગ્ન સંસ્થા અને સંગઠને કરેલા ગુના સાબિત થાય એવા કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવશે.

ઉત્તરપ્રદેશની પેટર્ન મુજબ લવ-જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહ્યો છે અને એની જોગવાઈ મુજબ કસૂરવાર વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા તથા રૂ.2 લાખની ઓછો નહીં એટલો દંડ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.