Abtak Media Google News

પ્રેમી પરણિત હોવાથી પરિવારજનો એક નહિ થવા દે તેવા ડરથી એક સાથે કર્યો આપઘાત

અબતક રાજકોટ

રાજકોટની ભાગોળે આવેલા ઢાંઢીયા ગામે રહેતા પ્રેમી પંખીડાએ ગામની સીમમાં ઝેરી દવા પી સજોડે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પ્રેમી પરણિત હોવાના કારણે પરિવારજનો એક નહિ થવા દે તેવા ડરથી સીમમાં જઈ ઝેરી દવા પી મોત મીઠું કર્યું હતું.આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ઢાંઢીયા ગામે રહેતા ઘનશ્યામભાઈ વેલાભાઈ ઓળકિયા નામના 28 વર્ષના પરણિત યુવાનને ગામમાં રહેતી સોનલબેન દેવાભાઇ બોરિયા નામની 24 વર્ષીય યુવતી સાથે ગામની સીમમાં ઝેરી દવા બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સોનલબેનનું પ્રાથમિક સારવારમાં જ મોત નિપજ્યું હતું. જ્યારે થોડી ક્ષણો બાદ ઘનશ્યામ પાસે પણ દમ તોડતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે.

સાંજે ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ મથકના જમાદાર એમ.ડી. પરમાર સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પરણિત યુવાન ઘનશ્યામને સોનલ સાથે પ્રેમ સંબંધ હોય અને પોતે પરિણીત હોવાથી પરિવારજનો એક નહીં થવા દે તેવા ડરના કારણે સજોડે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. પ્રેમી યુગલે આપઘાત કરતાં પહેલા ગામમાં ગામમાં ગરબી જોવા ગયા હતા.પોલીસે ઘટનાની નોંધ કરો આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.