Abtak Media Google News

અનેક ઈન્ટરનેશનલ મેચના સાક્ષી એવા રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડનું આગામી દિવસોમાં રીનોવેશન કરવામાં આવશે. આ માટે ખર્ચ મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. રેસકોર્સ સ્થિત ક્રિકેટ મેદાનમાં સુધારણા માટે રૂ.૪૫.૭૫ લાખનું એસ્ટીમેન્ટ રાખવામાં આવ્યું હતું. ટેન્ડર દરમિયાન સોમનાથ એન્ટરપ્રાઈઝે ૧૬.૯૧ ટકા ઓન સાથે આ કામ કરવા માટે ઓફર આપી હતી. વાટાઘાટના અંતે ૧૫ ટકા વધુ ભાવેથી કામ કરી આપવાની સહમતી આપી છે. રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમના રીનોવેશન માટે રૂ.૫૦.૩૩ લાખનો ખર્ચ મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરાઈ છે જોકે કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોઈ નિર્ણય લઈ શકાશે નહીં. જેથી આ દરખાસ્ત પણ પેન્ડીંગ રાખવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.