Abtak Media Google News

મહા વદ ચૌદસે દિવસે આવતી મહાશિવરાત્રિ માનવને  શિવ બનવાની પ્રેરણા આપે છે . સૃષ્ટિને શિવત્વનો સંદેશ સંભળાવે છે . મહાશિવરાત્રીએ દ્વાદશ જ્યોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પતિ થઇ હતી. વર્ળી, દ્વાપર યુગનો પ્રારંભ પણ આ જ દિવસે થયો હતો તેથી આ દિવસનો ઘણો મહિમા છે.

આ દિવસની એક સુંદર પૌરાણિક કથા તો આપણે જાણીએ જ છીએ . ગરૂય્રુહ નામે એક પારધિ શિકાર કરી ગુજરાન ચલાવતો. એક વખત તે બીલીના વૃક્ષ પર ચડી મોડી રાત સુધી શિકારની પ્રતિક્ષા કરતો રહ્યો. એ રાત્રિ મહાશિવરાત્રીની હતી. રાત્રી વીતવા લાગી ત્યાંજ એક મૃગલી પાણી પીવા આવી તેને જોઇ પારધિએ તેને હણવા ધનુષ્ય તૈયાર કર્યું. પરંતુ હરણીની આજીજી સાંભળી તેના વચન પર વિશ્વાસ રાખી પારધિ હરણીને તેનાં બાળકોને મળવા જવાની રજા આપે છે. હરણાની રાહ જોતો શિકારી આખી રાત બીલીના વૃક્ષ પર બેસી રહે છે અને બિલિપત્ર તોડી તોડી નીચે નાખે છે. તે બીલીપત્રો વૃક્ષ નીચેના શિવલિંગ પર પડ્યા કરે છે.આમ રાતભરનુ જાગરણ અને બિલિપત્રાથીે શિવલિંગનું અનાયાસે જ પૂજન થઇ જાય છે. પારધિનું ચિત્ત શધ્ધ થાય છે. ત્યાં જ સવાર પડતા જ હરણીને આખા પરિવાર સાથે આવેલી જોઇ તેનું હૃદય દ્રવિત થઇ જાય છે. હરણાંઓનું વચન પાલન તેનું હૃદય પરિવંતન કરે છે અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે. સરસ્વતી સ્કૂલના સંચાલક  પ્રદિપભાઈ ખીમાણી,  જગદીશભાઈ ખીમાણી,  નરેશભાઈ ખીમાણી,  રઘુભાઈ ખીમાણી તથા  ગોપીબેન ખીમાણી વધુમાં ઉમેરે છેકે, આવી કથાઓના શ્રવણ સાથે ભારતભરમાં મહાશિવરાત્રીના દિવસે બીલીપત્ર ચડાવીને તથા ઉપવાસ કરીને શિવ પૂજન કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ, શિવ પૂજન તથા જાગરણનું વિશેષ મહત્વ છે. શિવ પુરાણમાં આ વ્રતના નિયમો દર્શાવીને ભક્તોની શ્રધ્ધાને દૃઢ કરવામાં આવી છે.

શિવ એ જ્ઞાનના દેવ છે. તેમના મસ્તકમાંથી સદાય જ્ઞાનગંગા વહેતી રહે છે. ભગવાન શિવ હિમ આચ્છાદિત ધવલ ગિરિશૃંગ પર બેઠા છે . તેમાં જ્ઞાનની બેઠક વિશુધ્ધ હોવી જોઇએ એવું સૂચન રહેલું છે. વળી, કૈલાસના ઉચ્ચ શિખરે બિરાજતા શિવ એવું પણ સમજાવે છે કે  શિવ ’ એટલકે  કલ્યાણ’ને પામવા જીવનની ઉચ્ચ ભાવનાઓ સુધી પહોંચવું. જોઈએ. શિવજી ત્રિલોચન છે. ત્રીજી આંખથી તેમણે કામદહન કયું હતુ. તે સમજાવે છે કે સાચા જ્ઞાની પર થતા   કામના પ્રહારો પણ વ્યથ નીવડે છે . ભગવાન શિવ  દિગંબર છે. તેમણે દિશાઓનાં વસ્ત્ર ધારણ કર્યા છે.

વિશ્વના વૈભવ પ્રગમાં પડ્યો હોવા છતાં ઉપભોગ માણવાની અલ્પ માત્ર ઇચ્છા પણ તેમને થતી નથી. સાદું જીવન અને ઉચ્ચ વિચારનું આર્થી મોટું ઉદાહરણ કર્યા મળશે ? જ્ઞાનીપુરૂષ વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઇએ એ સૂચવવા ભગવાન શિવજી પોતાના શરીર પર ભસ્મનું લેપન કરે છે. તેમના હાથમાં રહેલું ત્રિશુલ સજજનોને આશ્વાસન આપે છે અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે.

રક્ષણ અને દુર્જનોનો સંહાર જેમનું વ્રત છે, જગતની રક્ષા માટે જેમણે વિષપાન કર્યું છે અને જે જીવને શિવ તરફ લઇ જાય છે. જગતના કલ્યાણના અને જ્ઞાનના જે સ્વરૂપ છે. એવા ભગવાન શિવ, દેવાધિદેવી અત્યંત નમસ્કાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.