Abtak Media Google News

 

અબતક,રાજકોટ

ભારતીય ઋષિમુનિએ અમુલ્ય જીવન આનંદ અને સ્વસ્થ જીવવા અનેક પ્રાકૃતિક ઉપચાર આપેલ છે. પ્રાકૃતિક ચિકિત્સક એડોલ્ફ જુસ્ટ તેને ડીસ્કવર કરેલ અને ભારતમાં ફરી મહાત્મા ગાંધીજીએ તેના પ્રણેતા તરીકે કાર્ય કરતા , આજે ભારતભરમાં ગાંધી નેશનલ એકેડમી ઓફ નેશરોપેથી – ન્યુ દિલ્હી દ્વારા અભ્યાસના કેન્દ્રો ચાલે છે . ગાંધીજીએ ચિકિત્સક તરીકે 110 દર્દીને સાજા કર્યા હતા . નેચરોથેરાપીના વિકાસ અર્થે ભારતીય અન્ય પ્રાકૃતિક ચિકિત્સક ડો . કુલરંજન મુખર્જી , મહાવીર પ્રસાદ , વિઠલદાસ મોદી , ડો.જસ્પાલવાલા , દિનસા મહેતા વગેરેનુ યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે.

પ્રાકૃતિક ઉપચાર પંચમહાભૂત તત્વો ( આકાશ વાયુ , અગ્નિ , જળ અને પૃથ્વી ) દ્વારા ઉપચાર આપી દર્દીને રોગ મુક્ત કરવવામાં આવે છે . સાથે યૌગિકક્રિયા દ્વારા માનવીના શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય વધુ તંદુરસ્ત બનાવામાં આવે છે.પ્રાકૃતિક ચિકિત્સામાં રોગના બે પ્રકાર દર્શાવ્યા છે , જે પૈકી એક તીવ્ર રોગ જેમાં વિવિધ તાવ , શરદી , ખાંસી , ઉધરસ , પેટદર્દ , શિરદર્દ , કબજિયાત , ગેસ , અપચો  જેવા હોય છે. અને   બીજો જીર્ણ રોગ જેમાં ડાયાબીટીશ , ટી.બી. , શ્વાસના રોગો ,હૃદયરોગ , કેન્સર , હાઇપર ટેન્શન , જેવા રોગનો સમાવેશ થાય છે.

પ્રાકૃતિક ચિકિત્સાના સિદ્ધાંત મુજબ પ્રકૃતિ સ્વયં ચિકિત્સક છે . માનવ શરીર પણ એક પ્રકૃતિના ઘટકનો ભાગ છે . પ્રાકૃતિક નિયમોને અનુસરવાથી શરીર સ્વયં ચિકિત્સાનુ કાર્ય કરે છે . પરંતુ આજે ભૌતિક સુખ સુવિધા વધવાની સાથે , માનવ જીવનમાં આહાર વિહાર અને વિચારશ્રેણીમાં બદલાવ આવ્યો છે.આહારમાં 80 ટકા સનકૂકડ અને 20 ટકા રાંધેલ ખોરાક લેવો જોઈએ . ખોરાક તાજો , ગરમ અને સાત્વિક હોવો જોઈએ . જમતી વખતે શાંતિથી બેસીને , પૂરી રીતે ચાવીને તથા પ્રસન્ન મને જમવું જોઈએ , ભોજન મિતાહાર લેવું જોઈએ . ઋતુ અનુસાર ફળો લેવા .સવારે ઉઠી તામ્ર લોટાનુ ઉષ : પાન કરવું , અડધા કલાક પછી એક કપ ચા – દૂધ અને પછી લીલા પાંદવાળી ભાજીનુ જ્યુસ , કોઈ એક પ્રકારનુ ફળ આટલો આહાર બપોર સુધીમાં લઈ શકાય છે.માનવીના જીવનશૈલીમાં થોડો બદલાવ અને પ્રકૃતિ ઘટકો પ્રત્યેનો લગાઉ સારા સ્વાસ્થ્ય પ્રાપ્તિની ચાવી બની જાય છે.

સામાન્ય રીતે કાચુ મીઠું ખાવા કરતા રસોઈમાં ભળેલ ગરમ થયેલ મીઠું ચામડી થતા ઘણા રોગથી બચાવે છે . સામાન્ય પાણી કરતા સવારે તામ્ર લોટાનુ ઉષ : પાન પેટદર્દની ઘણી બીમારી દુર કરે છે . દહીં – છાસ સાંજના જમવામાં ન લેવા જોઈએ . મીઠા અને ખાટા ફળો એકી સાથે ન લેવા . દહીં સાથે ગોળ અને મૂળા સાથે કેળા નિષેધ છે . દૂધ સાથે ડુંગળી ન લેવી . કુલ છ રસ પૈકી ત્રણ થી વધુ રસ એક સાથે વધુ માત્રામાં ન લેવા . શ્રમ કર્યા બાદ બપોરે થોડો આરામ ( વામકુક્ષી ) કરવાથી જીવ ની શક્તિ વધે છે . સવારથી બપોર સુધી વિવિધ લીલા પાંદડાવાળી ભાજીના જ્યુસ તથા ફળાહાર લેતા સ્વાસ્થ્ય વધુ સારુ બને છે . જમતી વખતે દૂધ કે દુધની મીઠાઈ ન લેવી જોઈએ.તીવ્ર રોગની પ્રાકૃતિક ચિકિત્સા માટેની વાત કરીએ તો જમ્યા પછી પેટદર્દ થતું હોય તો એક ગ્લાસ્સ હુંફાળું પાણી પીવું અને ગેસ થાય તો લીંબુનો રસ પીવો જોઈએ . એસિડીટી થતી હોય તો 10 નંગ કિસમિસ ખાવાથી શાંત થાય છે . દૂધ પીવાથી કબજીયાત થાય તો બે ભોજન વચ્ચે કિસમીસ કે રસાદાર ફળ લેવા . તાવમાં મોઢાની કડવાસ દુર કરવા જીરૂ અને ફુદીનાનુ સેવન કરવું  જોઈએ.

ડાયાબીટીશ દુર કરવા એક કાચો ભીંડો 21 દિવસ માટે લેવો જોઈએ  કાનમાં આવતો અવાજ બંધ કરવા સરસવ કે તલના તેલના ટીપા નાખવા જોઈએ , અનિન્દ્રા દુર કરવા નાભિ ઉપર તેલનું પોતું મુકવું . તીવ્ર રોગ થાય તો 3 દિવસના વધુ ઉપવાસ કરવા  જરૂર જણાય તો વધુ દિવસ ઉપવાસ કરવા  જોઈએ.ત્રિદોષહર દ્રવ્યોનુ સેવન કરવું જોઈએ જેમાં ઘી , છાસ , ગોળ , ધાણાજીરું . કોથમીર , ઇલાયસી , લવિંગ , કાજુ , દાડમ , અંજીર , કેસર , મૂળા , સરગવો , કારેલા , ગળો , ગુગળ , દુર્વા , નોની , ગરમાળો , સાટોડી , બ્રાહ્મી , સિંધવ , કુવારપાઠું , સેતુર વગેરેનો  સમાવેશ થાય છે.08 1

ડો. વિજયભાઈ કે. મોઢવાડીયા (નેચરોપેથિસ્ટ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.