Abtak Media Google News

કામ પર જઈ રહેલા યુવાનને કાળ ભેટ્યો: પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત

ચોટીલા પાસે આવેલા આણંદપુર ગામ નજીક અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. કામ પર જતી વેળાએ યુવકને કાળ ભેટતા પાચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા તાલુકાના આણંદપુર (ભાડલા) ગામે રહેતા અને માલધારી કામ કરતા જેસાભાઈ ઘુઘાભાઈ સભાડ નામના 34 વર્ષના યુવાનનું આજરોજ વહેલી સવારે અકસ્માતમાં મોત નિપજ્યાનું ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગે મળતી વધુ વિગત મુજબ મૃતક જેસાભાઇ માલધારી હોય જેથી વહેલી સવારે પોતાના બાઈક પર ચોટીલા – જસદણ હાઇવે પરથી કામ પર જવા માટે પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે યુવાનની બાઈકને ઠોકરે લેતાં ગંભીર રીતે ઘવાયા હતા. જેને તાત્કાલિક સારવાર અર્થે જસદણ હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ રાજકોટ પહોંચે તે પહેલાં જ યુવાને દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જેસાભાઈ સભાળ ચાર ભાઈ અને ત્રણ બહેનમાં સૌથી મોટા હોવાનુ અને બે પુત્ર અને ત્રણ પુત્રીના પિતા હોવાનુ જાણવા મળ્યું છે. પાચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.