Abtak Media Google News

IPLની 14મી સીઝનમાં આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની હતી, પણ કોરોના ચેપના કારણે આ મેચ મુલતવી રાખવામાં આવી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની હતી. KKRની ટીમમાં Covid-19ને લગતી સમસ્યાઓના કારણે આ મેચ મોકૂફ રાખી છે. ક્રિકઇન્ફોના સમાચાર મુજબ આ મેચ ફરીથી યોજવામાં આવશે. ANIના સમાચાર મુજબ KKRના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

 


બાયો સિક્યોર એન્વોયરર્મેન્ટમાં IPLનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં IPLની 29 મેચ રમાય છે અને કોઈ પણ મેચમાં અડચણ આવી નથી. KKRના ખેલાડીને કોરોના થવાથી આજે એ સીઝનમાં પેહલી વાર મેચ રદ થઈ છે, અને હવે આ મેચ ક્યારે રમાશે તે અંગે કોઈ માહિતી આવી નથી. RCBએ સાત મેચ રમી છે અને તેમાંથી પાંચ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ, KKRના ખાતામાં સાત મેચમાંથી ફક્ત બે જીત છે અને આ ટીમ પોઇન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.