- નિવૃત્તિ પછી મળનાર રકમ સારી જગ્યાએ રોકાણ કરી દર મહિને આઠ ટકા વળતર ચૂકવવાની લાલચ આપી ઠગાઈ
- અરજદાર સહિત અન્ય સૈન્ય જવાનોને કુલ રૂ.1.46 કરોડનો ધુંબો મારનાર પુણેના અધિકારીને 2022માં સેનામાંથી હાંકી કઢાયો’તો
શહેરના મવડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેનને નિવૃત્તિ પછી મળનાર રકમનું સારી જગ્યાએ રોકાણ કરી દર મહિને 8% વળતર આપવાની લાલચે પુણેના લેફટનન્ટ કર્નલે રૂ. 11.40 લાખનું બુચ મારી દીધાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના અરજદાર સહીત અન્ય સૈન્ય જવાનોને કુલ રૂ.1.46 કરોડનો ચૂનો ચોપડનારને વર્ષ 2022માં સેનામાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. મવડીના નિવૃત આર્મીમેને પુણેના લેફટનન્ટ કર્નલ ધનાજીરાવ પાટીલને રોકાણ કરવા કુલ રૂ.41 લાખ આપ્યા હતા. જે પૈકી 17 લાખ પરત કર્યા અને રૂ.12.60 લાખનો પ્લોટ લખી આપ્યો હતો અને બાદમાં બાકી નીકળતા રૂ.11.40 લાખનું બુચ મારી દિધું હતું. તેમજ અન્ય સૈન્ય જવાન અને અધિકારીઓ સાથે પણ છેતરપીંડી કર્યાનું સામે આવતા આરોપીને ડિસમીસ કરાયો હતો. જે મામલે રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
શહેરના મવડી વિસ્તારમાં બાલાજી હોલ નજીક ડ્રિમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં હિતેશકુમાર વ્રજલાલ મુંગરા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધાનજીરાવ સિવાજીરાવ પાટીલ (રહે. પુણે, મહારાષ્ટ્ર) નું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2003 માં ભારતીય સેનામાં ભરતી થયેલ અને વર્ષ 2020 માં ભારતીય સેનામાંથી નિવૃત થયેલ છે. તેઓ હાલ નિવૃત જીવન ગાળે છે. ડીફેન્સમાં છેલ્લુ પોસ્ટીંગ નાસીક ખાતે હતુ અને ત્યાં કંપની કમાન્ડર લેફટનન્ટ કર્નલ ધનાજીરાવ સીવાજીરાવ પાટીલ હોવાથી તેમને ઓળખતાં હતાં. તેઓ નાસિકથી ગત તા.31/03/2020 ના નિવૃત થઇ મે-2020 મા રાજકોટ આવી ગયેલ હતા. બાદમાં જુલાઇ 2020 માં લેફ્ટેનન્ટ કર્નલ ધાનાજીરાવ પાટીલનો ફોન આવેલ કે, રીટાયરર્મેન્ટ પછી જે પૈસા આવવાના છે તે પૈસા તુ મને આપ, જે પૈસા હું સારી જગ્યાએ રોકાણ કરીશ અને દર મહીને 8 ટકા જેટલુ વળતર 30 મહિના સુધી આપીશ અને દર ત્રણ મહીને અમુક ટકા રકમ પણ તમને પરત આપતો જઇશ.
પ્રથમ આ બાબતે ફરિયાદીર ઇન્કાર કર્યા બાદ કર્નલે વારંવાર ફોન કરતા બે વર્ષ સુધી સાથે નોકરી કરી હોય અંતે વિશ્વાસ મૂકી તા. 15/09/2020 ના નાનામવા ખાતે આવેલ બેંકમાંથી રૂ.7.50 લાખ તેના એકાઉન્ટમાં જમા કરાવેલ હતા. ત્યારબાદ કટકે કટકે કુલ રૂ. 41 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત તા.01/11/2020 ના ધનાજીરાવે બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે આવેલ તેમની પાટીલ ક્નસ્લટન્સીમાં નોકરી કરવા માટેની ઓફર આપેલ હતી. જેથી ફરિયાદી ત્યાં નોકરી કરવા માટે ગયેલ ત્યારે ત્યાં રૂ. 35 હજાર પગારની ઓફર કરેલ હતી. બાદમાં એપ્રીલ 2022 સુધી નોકરી કરેલ તે દરમ્યાન ગત તા.01/12/2020 ના ધનાજીરાવ મળવા માટે તુમકુર (બેગ્લોર) આવેલ ત્યારે લેવાના નીકળતા પૈસા માંગતા તેણે પૈસા પરત આપવાની બાહેધરી આપેલ હતી.
બાદમાં તેઓને પૈસાની જરૂર પડતા પૈસા પરત માંગતા આ ધનાજીરાવે જુન-2021 માં રૂ.17 લાખ પરત આપેલા હતા. ત્યારબાદ બાકી નીકળતા રૂ. 21 લાખ પરત માંગતા ધનાજીરાવે કહેલ કે, મારે મારી દીકરીને વિદેશ મોકલવાની છે અને હાલ મારી પાસે પૈસા નથી અને તમે મને રૂ.3 લાખ આપો જે તમને હું થોડા સમયમાં કુલ રૂ. 24 લાખ પરત આપી દઇશ જેથી તેમના પર વિશ્વાસ મુકી ફરીવાર રૂ.3 લાખ આપેલ હતા.
તેમજ ફરીયાદીએ આપેલ રૂપીયાનું ધનાજીરાવ સાથે કોઇ લેખીતમાં લખાણ કરાવેલ ન હોય જેથી લેખીત લખાણ કરવાનું કહેતા તેઓએ બેંગ્લોર ખાતે નોટરી લખાણ કરવા માટે બોલાવેલ ત્યારે તેઓની તથા અન્ય આર્મીમેન પાસે કોઈ અંગ્રેજી ભાષામાં લખાણ કરાવેલ હતુ, જેમા તેઓની સહી કરાવેલ હતી પરંતુ કયા ડોક્યુમેંટમાં સહી કરાવી તે ખબર નથી. જેથી બાદમાં કહેલ કે, તમે આ લખાણ તો કરી આપેલ છે, જેથી સાથે સીક્યુરીટી પેટે ચેક પણ આપો કહેતાં તેને ચેક બાબતે ના પાડેલ હતી.
જેથી તેમને તેના વિરુધ્ધ અમો ફરીયાદ કરીશુ તેમ કહેતાં તેને તેલંગણા ખાતેનો તેનો રૂ.12.60 લાખનો પ્લોટ ફરિયાદીના નામે કરી આપેલ હતો. ત્યારબાદ હજુ ધનાજીરાવ પાસેથી રૂ. 11.40 લાખ લેવાના બાકી નીકળતા હોય પૈસા પરત માંગતા તેઓ ગલ્લા તલ્લા કરતા હોય અને મિત્રો મારફત જાણવા મળેલ કે, ધનાજીરાવે બીજા ભારતીય સેનાના કર્મચારી-અધીકારી જેમાં હરીશચંદ જોશી સાથે રૂ.51 લાખની છેતરપીડી કરેલ છે. તેમજ કર્નલ પ્રતાપ સાથે રૂ. 37 લાખની છેતરપીંડી કરેલ તેમજ કર્નલ બેનાલકર સાથે રૂ. 47 લાખની છેતરપીંડી કરેલ હોવાનું જાણવા મળતા આ બાબતે આર્મી હેડકવાટર દીલ્હી ખાતે ઓગસ્ટ-2022 માં ધનાજીરાવ વીરુધ્ધ ફરીયાદ કરેલ હતી જે ફરીયાદ હતી.જે સાબીત થતા તેઓને તા.19/05/2023 ના ભારતીય સેનામાંથી ડીસમીસ કરવામા આવેલ હતાં.
દીકરીને વિદેશ મોકલવા પૈસાની જરૂર છે તેમ કહી વધુ ત્રણ લાખ પડાવી લીધા
પૈસાની જરૂર પડતા પૈસા પરત માંગતા આ ધનાજીરાવે જુન-2021 માં રૂ.17 લાખ પરત આપેલા હતા. ત્યારબાદ બાકી નીકળતા રૂ. 21 લાખ પરત માંગતા ધનાજીરાવે કહેલ કે, મારે મારી દીકરીને વિદેશ મોકલવાની છે અને હાલ મારી પાસે પૈસા નથી અને તમે મને રૂ.3 લાખ આપો જે તમને હું થોડા સમયમાં કુલ રૂ. 24 લાખ પરત આપી દઇશ જેથી તેમના પર વિશ્વાસ મુકી ફરીવાર રૂ.3 લાખ આપેલ હતા.
ફરિયાદ કરવાનું કહેતા તેલંગણા ખાતેનો રૂ.12.60 પ્લોટ નામે કરી દીધો
ફરિયાદીએ પૈસાની ઉઘરાણી કરતા ગલ્લા તલ્લા કરનારને આર્મીમેનએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તેણે તેલંગણા ખાતેનો તેનો રૂ.12.60 લાખનો પ્લોટ ફરિયાદીના નામે કરી આપેલ હતો. ત્યારબાદ હજુ ધનાજીરાવ પાસેથી રૂ. 11.40 લાખ લેવાના બાકી નીકળતા હોય પૈસા પરત માંગતા તેઓ ગલ્લા તલ્લા કરતા હોય અને મિત્રો મારફત જાણવા મળેલ કે, ધનાજીરાવે બીજા ભારતીય સેનાના કર્મચારી-અધીકારી જેમાં હરીશચંદ જોશી સાથે રૂ.51 લાખની છેતરપીડી કરેલ છે. તેમજ કર્નલ પ્રતાપ સાથે રૂ. 37 લાખની છેતરપીંડી કરેલ તેમજ કર્નલ બેનાલકર સાથે રૂ. 47 લાખની છેતરપીંડી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું.