Abtak Media Google News

ભાઈબીજના તહેવાર નિમિતે બહેનો માટે સીટી બસ અને બી. આર. ટી. એસ. બસમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરતા મેયરશ્રી અને કમિશનરશ્રી

બી.આર.ટી.એસ નુ સંચાલન કરતી રાજકોટ રાજપથ લી.ને તા. ૧/૪/૨૦૧૫ થી સીટી બસ સેવાનુ સંચાલન સોપવામાં આવેલુ છે.જેમાં હાલમાં કુલ ૪૪ રૂટ પર ૬૦ મીડી અને ૩૦ સ્ટાન્ડર્ડ બસો દ્વારા સેવા પુરી પાડવામાં આવે છે.

આગામી તા.૦૭/૧૧/૨૦૧૮ થી ૧૧/૧૧/૨૦૧૮ દરમ્યાન દિવાળી, નુતનવર્ષ અને ભાઈબીજના તહેવાર નિમિતે શહેરની સ્કુલ,કોલેજોમાં જાહેર રજા હોય સીટી બસ તથા બી.આર.ટી.એસ.ની બસ સેવા તા.૦૭/૧૧/૨૦૧૮ થી ૧૧/૧૧/૨૦૧૮ સુધી સન્ડે શેડ્યુલ મુજબ બસ સંચાલન કાર્યરત રહેશે. તા.૧૨/૧૧/૨૦૧૮ થી રેગ્યુલર શેડ્યુલ મુજબ તમામ બસો કાર્યરત રહેશે.

વધુમાં તા.૦૯/૧૧/૨૦૧૮ના રોજ ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ રાજપથ લી દ્વારા સંચાલીત સીટી બસ સેવા અને બી.આર.ટી.એસ સેવામાં તમામ મહીલા મુસાફરોને વિનામુલ્ય(ફ્રિ) મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફ્રિ સેવાનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવે છે, તેમ મેયરશ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.