Abtak Media Google News

 

સોનલ માતાજીના બેને 93 વર્ષ વયે સોમવારે સાંજે કર્યો દેહ ત્યાગ

અબતક, દર્શન જોશી,જુનાગઢ

જૂનાગઢના કેશોદ નજીક આવેલા સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી એ ગઈકાલે સાંજે અંતિમ શ્વાસ લેતા બનુઆઈ માતાજીનો જીવનદીપ બુજાતા, બનુઆઈ માતાજી બ્રહ્મલીન થયા છે,  છેલ્લા થોડા સમયથી બીમાર રહેતા માતાજીની વિદાયના સમાચારો મળતા સમગ્ર ચારણ અને ગઢવી સમાજ સહિત દેશ વિદેશમાં રહેેતા માતાજીી ના સેવકો તથા  ભવિકોમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. દરમિયાન પ્રાપ્ત સમાચાર મુજબ આજે મંગળવારેે બનુઆઈ માતાજીને સમાધિ આપવામાં આવી હતી.બનુઆઈ માતાજી (ઉ.વ. 93)  જૂનાગઢના કેશોદ નજીક આવેલા મઢડા ગામે સ્થિત  સોનલધામ મઢડા મંદિરના સોનલ માતાજીના બેન હતા તથા બનુઆઈ માતાજી છેલ્લા થોડા સમયથી બિમાર હતા. ત્યારે ગત સાંજે બનુઆઈ માતાજીએ દેહ ત્યાગ કરી દીધો હતો.

મઢડાના સોનલ આઈ મંદિરના બનુઆઈ માતાજી પર  દેશ-વિદેશમાં રહેતા ભવિકોમા અતૂટ શ્રદ્ધા હતી. ત્યારે બનુઆઈ માતાજીની ઓચિંતી વિદાયથી ભક્તોમાંં ઘેરો શોક વ્યાપી ગયો હતો. અને ગઈકાલ સાંજથી જ જૂનાગઢ, ભવનાથ સહિતના સંતો, મહંતો, ભાવિકો મઢડા ધામ ખાતે પહોંચી ગયા હતા અને બાનું આઈ માતાજીના અંતિમ દર્શન કર્યા હતા, દરમિયાન આજે મંગળવારે બપોરના 12:30 વાગ્યે બનુઆઈ માતાજીને  સમાધિ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.