Abtak Media Google News

Screenshot 1 30વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે ૭૧મો જન્મદિવસ

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાઆજે ૭૧મો જન્મ દિવસે પ્રદેશ ભાજપના પૂર્વ પ્રવકતા ભરત પંડયા દ્વારા તૈયાર કરવામાં આવેલો ખાસ લેખ પ્રસ્તુત

યાદ શકિત:-
વર્ષ 1981 થી 2021 સુધીના મારા 40 વર્ષના સંબંધના સંભારણામાં મને નરેન્દ્ર મોદીના નેતૃત્વનું સાથી મોટું અને મજબૂત પાસુ લાગ્યું હોય તો તેમની યાદશકિત, નિર્ણયશકિત અને કાર્યશકિત, આ ત્રણેય શકિતઓ તેમના પ્રભાી વ્યકિતત્વની ઓળખ છે. મારા ચાર દાયકાના ઓબ્ઝર્વેશનથી હું દાવા સાથે કહી શકું છુેં કે, દુનિયાના કોઇપણ લીડરમાં નહીં હોય તેવી પાવરફૂલ મેમરી મોદીજી પાસે છે. તેમને કોઇપણ પહેલીવાર મળે ત્યારથી તેનું નામ યાદ રહી જાય, કોઇપણ શહેર કે ગામમાં જાય ત્યાં અનેક લોકોને નામથી બોલાવે અને જાહેરસભાનું પણ વર્ષો પહેલાના સંભારણાનો ઉલ્લેખ  અવશ્ય કહે. સ્થાનીક વખણાતી વસ્તુ કે કોઇની દુકાનનું નામ કે ત્યાંના ઇતિહાસની વાત છે. એક ઉદાહરણ તરીકે કહ્યું તો, ધંધુકામાં આવે તો પ્રફુલ્લભાઇ ભટ્ટ, જુની કહેવત, ‘દિકરીને બંદુકે તેવી પરંતુ ધંધુકે ન દેવી’ તેમજ ધોળકામાં કાકા, નટુભાઇ, કનુભાઇ જોષી, રસિકભાઇ ફોટોગ્રાફરને વગેરેને યાદ કરે. કયાંક ચા કે આઇસ્કીમની દુકાન કે પછી કયાંક ફલાણાંભાઇ ભજીયા-ગાંઠીયાનો ઉલ્લેખ કરે.

અમરેલીમાં પ્રવાસ હોય ત્યારે કવિ કલાપીથી લઇને જલારામાબાપાના ગુરુ પૂ. ભોજલબાપા બાપા, ડો. જીવરાજભાઇ મહેતા, દુલાભાયા કાગ, કાનજી ભૂટા બારોટ, રમેશ પારેખ સુધીનો લોકોને યાદ કરે છે. કોઇપણને મળે ત્યારે તેઓ પરિવારના સભ્યોનાં નામ કે જે તે સંબંધીત કામ પણ યાદ હોય, સરકારી અધિકારીઓ સાથેની મિટીંગોમાં પણ યોજના, ફાઇલ કામ, સોંપેલ કામના સંદર્ભમાં જુના રેફરન્સ યાદ હોય અને અધિકારીઓની સંપૂર્ણ  માહીતી અને કાર્યશૈલી ખબર હોય એટલે અધિકારીઓ પણ તેમની યાદશકિતને કારણે. જ ડરતાં હતા.

નિર્ણય શકિત:-

મને વ્યકિતગત પત્ર દ્વારા અને મૌખિક રીતે કહેતાં કે જાહેરજીવનમાં કામ કરવું હોય તો વ્યકિતગત નિર્ણયશકિત ડેવલપ કરવી પડે, મને ધારાસભ્ય તરીકે યાદ છે કે, મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનાં તમામ 18000 ગામડાઓમાં ર4 કલાક વિજળી, જયોતિગ્રામ યોજનાનો વિચાર મૂકીને જાહેરાત કરી. તે સમયે કોંગ્રેસના શ્રી અમરસિંહ ચૌધરીએ શ્રી નરેન્દ્રભાઇને કહ્યું કે ર4 કલાક વિજળી માટે ફીડરો અલગ કરવા જેવી અનેક ટેકનીકલ સેટપ કરવું ખુબ જ અધરું હોવાથી ગામડાઓમાં ર4 કલાક વિજળી અશકય છે અને કોઇ કાળે થઇ શકે નહીં. તમે નવાં નવાં છો એટલે શું તેમને સલાહ આપું છુ.

ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ શાંતિથી સાંભળ્યા અને કહ્યું કે, મેં દરેક ગામડાઓને ર4 કલાક વિજળી આપવાનો નિર્ણય અને સંકલ્પ લઇ લીધો છે. હવે હું આ નિર્ણયને પુરો કરીને બતાવીશ, પછી તેમણે કદાચ વિધાનસભામાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આજે તેમણે લીધેલ અધરાં નિર્ણયને પૂર્ણ કર્યા જેના ફળ આજે ગુજરાતના તમામ ગામોમાં ર4 કલાક વિજળીથી ઝળહળે છે.

નર્મદા યોજનાના સંઘર્ષથી સફળતા સુધીનો ઇતિહાસ ગુજરાતની જનતાને યાદ છે. નર્મદા ડેમની ઉંચાઇ, કેનાલનું કામ, વિસ્થાપિતોનો પ્રશ્ર્ન, નર્મદા વિરોધી કોંગ્રેસ અને મેધા પાટકર  સાથેના અન્ય પરીબળો સામેનો સંઘર્ષ, ત્રણ દિવસના ઉપવાસ અને પ્રધાનમંત્રી બન્યા પછી 17માં દિવસે નર્મદા ડેમના દરવાજા માટે સંમતિ આપવાના કાર્ય શ્રુંખલાઓમાં નરેન્દ્રભાઇ મોદીની રાજકીય ઇચ્છાશકિતનું પરીણામ હતું.

ગુજરાત, દેશ માટે સૌથી વધુ અધરા નિર્ણયો એમણે જ કર્યા છે. દરેક નિર્ણય પાછળ એમનું લોખંડી મનોબળ દેખાઇ આવે છે. દેશની સુરક્ષા માટે કોઇ બાંધછોડ ન કરવી, દેશ ઉપર અગાઉના સમયમાં જયારે જયારે પણ હુમલા થયા છે ત્યારે તે વખતની સરકારોએ કોઇ રીએકશન આપ્યાં નથી. માત્ર નમાલા જવાબો જ આપ્યા છે. તપાસ કમિટી બનાવશું. યુ.એન.માં અને અમેરીકાને ફરીયાદ કરીશું આ જ પ્રકારના નિવેદન કર્યા છે. દેશમાં નરેન્દ્રભાઇ મોદીનું નેતૃત્વ આવ્યું ત્યારથી લોખંડી અને અડગ અનેક દેશહિત- જનહિતનાં નિર્ણયો થઇ રહ્યાં છે.

ઉરી અને પુલવામાં હુમલાના જવાબમાં પહેલીવાર દુશ્મનોને તેમણે જડબાતોડ અને ઝડપી જવાબ આપ્યો. પાકિસ્તાનની અંદર ઘુસીને, દુશ્મન દેશમાં જઇને ભારતના સૈનિકોએ સર્જીકલ સ્ટ્રાઇલક, એર સ્ટ્રાઇક દ્વારા આતંકવાદીઓના અડ્ડા સાથે સફાયો કર્યો. તે મકકમ તેમની નિર્ણય શકિતનો પરિચય હતો. આ નિર્ણય શકિત દુનિયાએ જોઇ, જાણી માણી અને વખાણી પણ ખરી. નરેન્દ્રભાઇની નિર્ણય શકિતને કારણે ભારત સૌથી શકિતશાળી અને ગૌરવશાળી દેશ બન્યો છે.

દેશની સાંસ્કૃતિક રાષ્ટ્રની ઓળખ રામજન્મભૂમિ મંદિરના નિર્માણ અને દેશની એકતા-અખંડીતતા માટેના કાશ્મીરમાં 370 હટાવવી, એક આઝાદી પહેલા સદીઓથી ચાલતો વિવાદ અને એક આઝાદી પછીની સમસ્યા, આ બે નિર્ણયો એ સૌથી અધરામાં અધરા ઐતિહાસિક નિર્ણયો હત. ભગવાન શ્રીરામ એ દેશની જનતાનું શ્રઘ્ધા, આસ્થા, ભકિત-શકિતનું કેન્દ્ર છે. ભગવાન રામએ સુશાસનનું પ્રતિક છે. સામાજીક સમરસતાનું પ્રતિબિંબ છે. પરંતુ દાયકાઓથી રામજન્મભૂમિ મંદિર માટે દરેક પ્રકારનાં સંઘર્ષ, આંદોલનો થયા.

પૂ. સંતો, વિશ્ર્વ હિન્દુ પરીષદ, આર.એસ.એસ. સહીત લાખો લોકો દ્વારા તપશ્ર્ચર્યા, બલિદાનો આપવામાં આવ્યા. શ્રીરામ મંદિરના નિર્માણનો વિવાદ સદીઓથી ચાલતો હતો. આનો ઉકેલ આવશે તેવું કોઇએ સ્વપ્નમાં પણ ન હોતું વિચાર્યુ અને ઉકેલ લાવવા માટે કોઇ હિંમત પણ ન હોતું કરતું. તેવા સમયે નરેન્દ્રભાઇ મોદીએ પોતાની મકકમ નિર્ણયશકિતથી લોકશાહી અને ન્યાય પ્રક્રિયા મુજબ આનો ઉકેલ લાવવામાં અગ્રણી ભૂમિકા નિભાવી અને જેના કારણે આજે હિન્દુસ્તાનના જન-જનમાં વસેલા ભગવાન શ્રી રામનું જન્મભૂમિનું નિર્માણ અયોઘ્યામાં થઇ રહ્યું છે. આમ, રાષ્ટ્રહિત કે જનહિતના અધરાં અધરા નિર્ણયો લેવાની તેમની શકિતએ દેશ અને વિશ્ર્વમાં મજબૂત નેતૃત્વની પ્રતિષ્ઠા ઊભી થઇ છે.

ભારત વિરોધી, અલગાંવવાદીઓ, આતંકવાદીઓને સમર્થન આપનારા લોકોનો કાશ્મીર પર સંપૂર્ણ કબજો હતો. ભારતની સુપ્રિમ કોર્ટના 106 કાયદાઓ કાશ્મીરમાં 370 ની કલમને કારણે લાગુ પડતાં ન હતા. ભારત મુર્દાબાદ, પાકિસ્તાન ઝીંદબાદના નારા લાગે અને ભારતના રાષ્ટ્રઘ્વજ સળગવે તો પણ કયાંય તેના પર કેસ ન થઇ શકે. આવી પરિસ્થિતિમાં 370 હટાવવી એટલે ભયંકર જોખમી અને કાશ્મીર ભડકે બળશે તેવી ધમકીઓ વચ્ચે નરેન્દ્રભાઇ મોદીની નિર્ણયશકિત દ્વારા કાશ્મીરમાં 370 હટાવીને સરદાર પટેલનું સ્વપ્ન, ડો. શ્યામપ્રસાદ મુખર્જીના બિેલદાનને સાર્થક કરીને એક ભારત-એક સંવિધાનને વધુ મજબુત કરી દીધું છે.

પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ?

હું પડકારો ઝીલનારો માણસ છું.

હું તેજ ઉછીનું લઉં નહીં,

હું જાતે બળતું ફાનસ છું.

કાર્યશકિત:-

રાષ્ટ્રહિત અને જનિ!તને ઘ્યાનમાં રાખીને શ્રી મોદીજીએ પોતાના કાર્યશકિત દ્વારા લોકાભિમુખ શાસન આપ્યું છે.

નરેન્દ્રભાઈ મોદીની યાદશક્તિ અને નિર્ણયશક્તિ જેમ તેમની કાર્યશક્તિ પણ લાજવાબ છે. જે કામ હાથમાં લીધું હોય એના પર જ વધુ ફોકસ કરવું, પુરતું લેશન કરવું, પરિશ્રમ કરવો, ફોલોઅપ કરવું, ફીડબેક  મેળવો એ તેમની વિશેષતા છે. સવારે વહેલા ઉઠવું, કામ સોંપવા માટે ફોન કરવાં, સવારે અલગ અલગ પ્રકારની મિટીંગોનો ક્રમ ગોઠવવો. આમ તેમણે પોતાની કાર્યશક્તિથી બીજાની કાર્યક્ષમતા વધારીને એક નવા પ્રકારનું વર્ક કલ્ચર ઊભું કર્યું છે.

પૂર્વ આયોજન અને પૂર્ણ આયોજન આ શબ્દને તેમણે મૂર્તિમંત કર્યાં છે.કોઈપણ સંગઠન કાર્ય કે કાર્યક્રમની પૂર્વતૈયારી માટે પરીશ્રમ કરે અને લોકોને પણ કરાવે, લોકોને જોડીને કામ કરાવવું આ તેમની આગવી વિશેષતા છે. સંગઠનના પત્રકો અને ચોપડા લખવા માટે અનેક જીલ્લામાં તે સમયના મોટા-મોટા પદાધિકારીઓને પણ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી બેસાડયાંના અનેક પ્રસંગો કાર્યકર્તાઓને યાદ છે. વહેલી સવારે કામના સંદર્ભમાં ફોન કરે અને મોડી રાત્રે કામનું શું થયું ? તેમનું ફોલોઅપ કરે.  નરેન્દ્રભાઈ મોદીને પાર્ટી જે કામ સોપ્યું હોય તેમાં દરેક લોકોને સતર્કતા અને સક્રિયતા રાખવી જ પડે. આવી કાર્યશક્તિને કારણે જ તેઓ લોકો સાથે એટેચ અને એકમેક થઈ શક્યા અને સંકલ્પોને સિદ્ધ કરી શકયાં.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી કાર્યમાં System Changeના સતત અને સખત આગ્રહી રહ્યાં. મુખ્યમંત્રી અને હવે, પ્રધાનમંત્રી કાર્યકાળ દરમ્યાન તેઓ એ લોકો માટે ઉપયોગી અનેક યોજનાઓ અમલમાં મૂકી અને તેમને સરકારની સહાય સીધેસીધી પહોંચે તે માટે Direct Benefit Transfer (DBT)ને માધ્યમ બનાવ્યું. તે પહેલાં 40 કરોડથી વધુ જનખાતાઓ ખોલાવ્યાં. આજે 311 યોજનાઓ દ્વારા 18,64,030 કરોડ રૂ.લાભાર્થીઓના સીધેસીધાં બેંક ખાતાં પહોંચી રહ્યાં છે. જે કોંગ્રેસના સમયમાં શ્રી રાજીવ ગાંધીએ કબૂલાત કરી હતી કે, દિલ્હીથી 1 રૂ.મોકલું અને 15 પૈસા જ નીચે સુધી પહોંચે છે. આજે દિલ્હીથી નીકળેલાં રૂ.પૂરેપૂરા અને સીધેસીધાં પહોંચી રહ્યાં છે. આ શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યશક્તિનો ઉત્તમ ઉદાહરણ છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસે તેમની યાદશક્તિ,નિર્ણયશક્તિ અને કાર્યશક્તિ વધુને વધુ ઉજ્જવળ રહે તેવી હ્યદયપૂર્વકની શુભકામનાઓ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.