Abtak Media Google News

નરી આંખે બુધવાર સંધ્યાસમયથી પરોઢ સુધી ઉલ્કાવર્ષા જોઈ શકાશે

અબતક,રાજકોટ

ભારતમાં મંગળવારે લોકો લાંબામાં લાંબી રાત્રિનો અનુભવ કરશે અને બુધવારે દુનિયાભરના લોકોને ઉર્સિડ્સ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો જોવા મળશે . બે દિવસીય ખગોળીય ઘટનાનો અનુભવ , નિહાળવાનો અવસર છે . વર્ષ 2021 નો આખરી ઉલ્કાવર્ષા નજારો નિહાળવા ખોળપ્રેમીઓ થનગની રહ્યા છે . સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકાશે . રાજય ખગોળીય ઘટના સંબંધી જાણકારી આપવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ કરી છે . ’ જાથા ’ ના રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું છે કે  તા . 22 મી બુધવાર રાત્રિના સાડા નવ કલાકે ઉસિંડ્સ ઉલ્કાવર્ષા પડતી નજરે જોઇ શકાશે . તા . 26 મી સુધી ક્રમશ: ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે . દુનિયાભરમાં દેશ – વિદેશમાં કલાકમાં 10 થી 50 અને વધુમાં વધુ 100 ( એકસો ) ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે . અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે . વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે.

વધુમાં પડયા જણાવે છે કે ઉર્સિડ્સ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ તા . 22 બુધવાર એક દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે . નરી આંખે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજારો જોઈ શકાય છે . ઉલ્કાવર્ષા નિહાળવા સંધ્યા સમયથી વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે . મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે . ઉત્તર , પૂર્વ દિશા જોવામાં શ્રેષ્ઠ છે . ચારેય દિશામાં ગમે ત્યારે દિવસે – રાત્રે ઉલ્કાવર્ષા થાય છે . બુધવારે ઉલ્કાવર્ષા જોવાનુ ચુકશો નહિ . ખગોળપ્રેમીઓ દરિયાઈ કિનારે તથા પર્વતીય – ખડકાળ , નિર્જન જગ્યાને પસંદ કરી પડાવ નાખશે . ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે . સેક્ધડની ગણતરીમાં દિવાળીની આતશબાજી , રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો આકાશમાં જોવા મળશે . વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે ઉર્સિડ્સ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસર વરસાદની જેમ પડશે . શરૂઆતમાં રાત્રે દર કલાકે 5 થી 10 કરતા વધીને 50 થી 100 ઉલ્કા ખરતી જોવા મળશે . તેની ઝડપ પ્રતિ સેક્ધડ 35 કિ.મી. ઝડપે વધીને 130 કિ.મી. ઝડપે પડશે . મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢે સ્પષ્ટ જોઈ શકાશે . આ નજારો જોવા મળે તો જીંદગીનો રોમાચક અનુભવ ગણાશે . ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉકા તરીકે ઓળખવામાં આવે છે . પૃથ્વી ઉપર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે . દૂરબીન , ફાયરબોલ ફોટોગ્રાફી , ડીઝીટલ વિડીયોગ્રાફીથી થઈ શકે છે . અંતમાં રાજયના લોકોને સ્પષ્ટ આકાશમા ઉલ્કાવર્ષા નિહાળવા જાથાએ અપીલ કરી છે . જાથાએ રાજયમાં મુખ્ય કાર્યાલય અને શાખાઓમા આયોજનો કર્યા છે . વિશેષ માહિતી માટે મો . 98252 16689 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.