Abtak Media Google News

ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાઈબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય છે.

ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાઈબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય છે. ભારત પાકિસ્તાનની સરહદ પર નડાબેટ નજીક આવેલું નડાબેટનું અફાટ રણ શિયાળામાં આ પ્રવાસી પક્ષીઓનું આશ્રય સ્થાન બની જાય છે અને તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે.

Image 6483441 1

રશિયાના સાઈબેરિયા વિસ્તારમાં વિશ્વનો સહુથી ઠંડો વિસ્તાર માનવામાં આવે છે. શિયાળામાં આ વિસ્તાર એકદમ નિર્જન બની જાય છે. ત્યારે આ વિસ્તારમાં વસતા પક્ષીઓ આ ઠંડીમાં ઠંડીથી બચવા અને ખોરાકની શોધમાં સ્થળાંતર કરે છે. ત્યારે સાઈબેરિયામાં વસતા યાયાવર નામના પક્ષીઓની પ્રજાતિ પણ શિયાળાની શરૂઆત થતાં જ સ્થળાંતર કરતી હોય છે. આ પક્ષીઓનું મૂળ નિવાસ સ્થાન સાઈબેરિયા છે પરંતુ શિયાળામાં સાઈબેરિયામાં ઠંડીનું પ્રમાણ વધી જતું હોવાના લીધે આ પક્ષીઓ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બને છે.

બનાસકાંઠા જિલ્લામાં પ્રશ્ચિમે આવેલી ભારત પાકિસ્તાનની સરહદ નજીક આવેલું નડાબેટનું રણ ચોમાસામાં પાણીથી ભરાઈ જતું હોય છે અને શિયાળામાં ખૂબ જ ઠંડુ બની જાય છે.. ત્યારે આ વિસ્તારની આબોહવા એકદમ સૂકી અને સાઈબેરિયાની આબોહવાને મળતી આવતી હોવાથી યાયાવર નામના આ પક્ષીઓ માઈગ્રેટ થઈને નડાબેટ નજીક આવેલા અફાટ રણમાં આવે છે.

Unnamed

પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષીપ્રેમીઓ પણ આવે છે

આ રણમાં ચોમાસામાં ભરાયેલા પાણીમાં માછલીઓ પણ પ્રચુર માત્રામાં હોવાથી યાયાવર નામના આ પક્ષીઓને ખોરાક પણ આસાનીથી મળી રહે છે.. અને અહી જ આ પક્ષીઓ પ્રજનન પણ કરે છે.. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થતાં જ આ રણમાં તાપમાનનો પારો ઊંચો જવાથી પક્ષીઓ ફરીથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સાઈબેરિયા પહોંચી જતાં હોય છે. આમ ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધી આ પક્ષીઓ ગુજરાતના નડાબેટમાં આવેલા રણને જ પોતાનું  નિવાસ બનાવી નાંખે છે.. અને આ વિદેશી પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષીપ્રેમીઓ પણ આવતા હોય છે. ગુજરાત સરકાર પણ આ વિદેશી પક્ષીઓના આકર્ષણને લઈ આ વિસ્તારનો વિકાસ પ્રવાસન વિભાગ તરીકે કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.