Abtak Media Google News
  • પંચામૃત ફોર કલાઈમેટ ચેન્જ પખવાડિયા અંતર્ગત
  • બ્લુ ઈકોનોમીમાંથી ગ્રીન ઈકોનોમી તરફ જવાના લક્ષ્યમાં રાજય સતત પ્રયત્નશીલ

ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી   આપેલ પંચામૃત ફોર ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત યુવા જાગૃતિ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને ક્લાઈમેટ ચેન્જ અંગે પરિસંવાદ  મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયો હતો.

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જના મંત્રી કિરીટસિંહ રાણાએ આ પ્રસંગે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણને બચાવવા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. પર્યાવરણના જતન માટેના આ 15 દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જોડાય અને જાગૃતતા આવે તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓને સરકાર  દ્વારા બિરદાવવામાં આવે છે. રીન્યુએબલ એનર્જી તરફ લોકો વધુને વધુ જાગૃત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગના જોઇન્ટ સેક્રેટરી  બિપીનભાઇ તલાટી એ સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક્સપર્ટ કોન્ફરન્સ કરવા ઉપરાંત કલાઇમેટ ચેન્જ માટે વિદ્યાર્થીઓ અને યુવાનો વચ્ચે પણ જાગૃતતા આવે તે માટે આ નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બ્લૂ ઈકોનોમી માંથી ગ્રીન ઈકોનોમી તરફ તેમજ ફોસીલ ફ્યુલ માંથી રીન્યુએબલ એનર્જી તરફ જવાના લક્ષ્યમાં ગુજરાત સતત પ્રયત્નશીલ છે.

આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા  કરવામાં આવ્યો હતો. મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી નરેશ જાડેજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ પંચામૃત મહોત્સવ અંતર્ગત યુનિવર્સિટી દ્વારા કરેલ વકતૃત્વ, નિબંધ સ્પર્ધા વગેરે વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી.

વાઇસ ચાન્સેલર ડો. સંદીપ સંચેતીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમજ મારવાડી યુનિવર્સિટીના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના ડીન   આર. બી. જાડેજાએ આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં યુનિવર્સીટીનાં વાઈસ પ્રેસિડેન્ટ જીતુભાઈ ચંદારાણા, યુનિવર્સિટીના હોદ્દેદારો તેમજ પ્રોફેસરો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.