Abtak Media Google News

લોકોની રોગપ્રતિકારક શકિત વધારવા સરકાર મેદાને…

દેશમાં જેનેરીક દવાઓની જાગરૂકતા વધી: તબીબો પણ હવે જેનેરીક દવાઓ લખતા થયા: વપરાશમાં ૬ ટકાનો વધારો

પ્રોટીન પાવડર, પ્રોટિનબાર અને ધાત્રી માતાઓ માટે પૂરક પોષક તત્વો યુકત સપ્લીમેન્ટ પાવડર હવે સસ્તા દરે ઉપલ્બધ

દરેક દર્દીઓ માટે સસ્તી દવાઓનું સપનું સાકાર: આ યોજના હેઠળ ૨૫૦૦ કરોડ લોકોને સસ્તી દવા ઉપલબ્ધ

સામન્ય રીતે ઔષધીઓનો ઉપયોગ લોકો બિમાર પડયા બાદ  કરે તે સ્વાભાવિક છે.  પરંતુ ભારત સરકારની આ પહેલ બીમારીને નોતરું જ ન મળે તેવી છે.  કે જે આઠ પ્રકારની ઔષધીયો જે શકિત વર્ધક હોય લોકો  બિમારીથી દૂર રહે તેવા સરકારના ભગીરથ પ્રયાસ રૂપે કેન્દ્રીય  રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા અને રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવિયાએ નવીદિલ્હી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત ૮ પ્રકારના રોગપ્રતિકારક શક્તિવર્ધક અને પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનો લોન્ચ કર્યા. તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોષણ અને યોગ્ય પોષક તત્વોના મહત્વ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજનાનાં આ ઉત્પાદનોએ સમાન લક્ષ્ય પ્રાપ્ત કરવાના ભાગરૂપ છે.

ઉત્પાદનોના લોન્ચ દરમિયાન મનસુખ માંડવિયા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના દેશના સામાન્ય નાગરિકો, ગરીબો અને મધ્યમ વર્ગને સમર્પિત છે. યોજના અંતર્ગત દેશમાં કુલ ૨૫૦૦ કરોડ લોકોને સસ્તી દવા ઉપલબ્ધ બની છે. દેશમાં જેનેરિક દવા અંગે જાગરૂકતા વધી છે, ડોક્ટર પણ હવે જેનેરિક દવા લખતા થયા છે. દેશમાં જેનેરિક દવાઓના વપરાશમાં છ ટકાનો વધારો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દરેક નાગરિક માટે સસ્તી દવાનું સપનું સાકાર થયું છે. તેમના સપનાંને આગળ વધારતા આઠ પ્રકારના અલગ-અલગ પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનો લોકો માટે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ, જે હવે જનઔષધિ કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ બનશે.

Screenshot 3

કોરોના મહામારીમાં વાયરસ ચેપના જોખમ અને પ્રભાવને ઘટાડવા તેમજ લાંબાગાળા માટે રોગપ્રતિકારક શક્તિનું નિર્માણ કરવા માટે પર્યાપ્ત પોષણ મહત્વપૂર્ણ છે. જાહેર આરોગ્યના લાભ માટે તાજેતરમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત તમામ લોકોમાં (સ્ત્રીઓ અને બાળકો સહિત) રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલાક પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનોની શરૂઆત કરવામાં આવી છે.

સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે આ પૌષ્ટીક ઔષધીય આશીર્વાદરૂપ નિવડશે. આ તમામ ઉત્પાદનોના ભાવ બજારમાં મળતા અન્ય ઉત્પાદનોની સરખામણીમાં ૨૫% થી ૫૦% ઓછા છે. આલોન્ચિંગ કાર્યક્રમમાં રસાયણ અને ખાતર મંત્રાલય તથા બીપીપીઆઈના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.