- સુખપર, ચમારડી અને ચરખા ગામના ખેડુતોના પાકને નર્મદાનું પાણી મળી રહેશે
- ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે બાબરા સૌની યોજના અંતર્ગત નર્મદા નીરના વધામણા બાબરા તાલુકાના સુખપર, ચમારડી અને ચરખા ગામમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નર્મદાના નીરના વાલ ખોલીને ખેડૂતોના પાકને પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા જિલ્લા પંચાયતના સદસ્યઓ, જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યઓ, તાલુકા ભાજપના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ, તાલુકા ભાજપ મહામંત્રી, ગામના સરપંચ, પંચાયત બોડીના સદસ્ય, સંગઠનના તમામ હોદ્દેદારઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ખેડૂતોએ સરકાર અને સૌની યોજનાના અમલીકરણ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ યોજનાથી ખેતીમાં સમૃદ્ધિ આવશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. તેવો આશાવાદ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને પાણીના મહત્વ વિશે સમજાવ્યું હતું અને તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી અને ખેડૂતોને તેનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા. આ કાર્યક્રમ સુખપર, ચમારડી અને ચરખા ગામના ખેડૂતો માટે એક યાદગાર અને ખુશીનો અવસર બની રહ્યો હતો.
સુખપર ગામે બ્રિજ અને આરોગ્ય સબ સેન્ટરનુ ખાતમુહુર્ત કરાયું
બાબરા તાલુકાના સુખપર ગામે રૂપિયા 1 કરોડ 10 લાખના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજ અને રૂપિયા 26 લાખના ખર્ચે નિર્માણ પામનાર પી.એચ.સી. (આરોગ્ય સબ સેન્ટર)ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા જિલ્લા પંચાયતના સદસ્યઓ, જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યઓ, તાલુકા ભાજપના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, તાલુકા ભાજપ મહામંત્રી, ગામના સરપંચ, પંચાયત બોડીના સદસ્યઓ, સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.બ્રિજ: રૂપિયા 1 કરોડ 10 લાખના ખર્ચે નિર્માણ પામનાર આ બ્રિજ સુખપર ગામ અને આસપાસના વિસ્તારો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જેનાથી લોકોની અવરજવર સરળ બનશે અને વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળશે.પી.એચ.સી. (આરોગ્ય સબ સેન્ટર): રૂપિયા 26 લાખના ખર્ચે નિર્માણ પામનાર આ આરોગ્ય સબ સેન્ટર સુખપર ગામ અને આસપાસના લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.