આપણા પૂર્વજોનું સ્થાપત્ય ફક્ત કલા નથી, તે પથ્થરમાં રહેલું શાળપણ છે, તેને બચાવો, રક્ષણ કરો અને તેને આગળ વધારો : વારસો ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનું જોડાણ.
વિશ્વ વિરાસત સ્થળોમાં ભારત દુનિયામાં છઠ્ઠા ક્રમે અને એશિયામાં બીજા ક્રમે : દુનિયામાં કુલ ૧૧૨૦ વિરસતોમાં ૫૮ સ્થળો સાથે ઇટાલી પ્રથમ ક્રમે: આપણાં દેશમાં પણ ધરોહરની સંખ્યા ૪૦ ની છે, પાંચ સ્થળો સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે: સાંસ્કૃતિક વારસો માત્ર ભૂતકાળની વસ્તુ નથી, પરંતુ તે કંઇક છે જે આજે પણ સુસંગત છે, અને ભવિષ્યને આકાર આપતું રહે છે.
યુનેસ્કોની પહેલથી વૈશ્ર્વિક સંધિ લાગુ કરાતા પ્રાકૃત્તિક ધરોહર સ્થળ, સાંસ્કૃતિક અને મિશ્ર વિરાસત જેવી ત્રણ શ્રેણી નકકી કરાઇ હતી: આપણાં દેશમાં યુનેસ્કોના નેજા તળે ૫૦ સાઇટસ અને મ્યુઝિયમોનો સમાવેશ થાય છે.
ગુજરાત અને રાજસ્થાનમાં ચાર વર્લ્ડ હેરિટેજ આવેલા છે: ૧૯૮૩ થી ઉજવાતા આ દિવસનો હેતુ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું સંરક્ષણ કરવાનો છે: આ વર્ષની થીમ “આપત્તિ અને સંઘર્ષોના જોખમમાં મુકાયેલ વારસો ” છે, જેનો અર્થ તેના રક્ષણ, જતન ની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે.
પ્રાચિન કાળથી આપણા દેશમાં ભવ્ય મહાલયો સાથે શિલ્પ કલાના ઉત્તમ નમુના જેવી ઘણી સાઇટસ – મ્યુઝિયમો, મહેલો અને નેશનલ પાર્ક જોવા મળે છે ત્યારે યુનેસ્કો જેવી વૈશ્ર્વિક સંસ્થા જે વિશ્વના દેશોની ધરોહરની જાળવણી બાબતે સક્રિય છે તેની પહેલથી ૧૯૭૨ માં વિશ્વભરના દેશોનાં સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે તમામ દેશો માટે એક સંધિ કરવામાં આવી હતી જેના ભાગરુપે ૧૯૮૩ થી આ દિવસ ઉજવવાનું નકકી કરાયું હતું. આજે વિશ્વભરમાં ૧૧૨૦ થી વધુ વિરાસતો અજાયબી સમી કલા કારીગરીનો ઉત્તમ નમુનાઓ છે ત્યારે એકલા ઇટાલીમાં ૫૮ સ્થળો સાથે વિશ્વમાં પ્રથમ નંબરે છે. આપણા દેશમાં પણ ૪૦ થી વધુ ધરોહર છે. અને આપણા ગુજરાત, રાજસ્થાન ચાર-ચાર સાઇટસ સાથે બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં પાંચ વિરાસત સાથે પ્રથમ ક્રમે છે. આપણા એશિયો ખંડમાં ચીન પછી આપણો બીજો ક્રમ છે.
આજે વૈશ્ર્વિકસ્તરે હેરીટેજના ત્રણ પ્રકારોમાં પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને મિશ્ર વિરાસત છે. યુનેસ્કોના નેજા તળે આપણા દેશમાં પ૦ થી વધુ સાઇટસ અને મ્યુઝિયમોનો સમાવેશ થાય છે. વિશ્વની સાત અજાયબીમાં આપણો તાજમહલ જગ મશહુર છે. હજારો વર્ષ પહેલા ટાંચા સાધનોની મદદથી કલા શિલ્પ કારીગરીના ઉત્તમ નમુના સમી આ વિરાસત આપણે જોઇએ ત્યારે એ વખતની કલાકારોની કલા, શિલ્પ સ્થાત્પકલા, આર્કિટેકચર વિગેરે પ્રત્યે માન થઇ જાય છે, અને એટલે જ આ વિરાસતને સાચવવાની, રક્ષણ કરવાની જવાબદારી આપણાં સૌની છે. ખાસ કરીને આજનો યુવા વર્ગ અને ભાવી પેઢી દેશના આ સાંસ્કૃતિક વારસા વિશે જાણે તે જરુરી છે.
માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલા આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવીને ભાવી પેઢી તેનો ઇતિહાસિ જાણીને તેની જાળવણી બાબતે સક્રિય થાય તે જરુરી છે. વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ વિરાસતો આપણાં ભારતમાં છે, એટલા જ માટે ભારતીય સંસ્કૃતિક વૈશ્ર્વિક સ્તરે મોખરે છે. એક સર્વે મુજબ દેશમાં ૩૬૯૧ સંરક્ષિત માળખા અને સાઇટસ છે, જે પૈકી યુનેસ્કોએ તો હજી પ૦ સાઇટસ મ્યુઝિયમોને માન્યતા આપી છે.
આપણો ભારતીય કે ગુજરાતી તરીકે પણ હજી ઘણી સાઇટસની ઉત્તમ, કલા કારીગરી જોઇને વિદેશી પ્રવાસે આવે તો તે આ સાઇટ જોઇને અચંબિન થઇ જાય છે. તાજમહેલ, રાજસ્થાનના પહાડી કિલ્લા, અંજતા, ઇલોરાની ગુફા, સૂર્ય મંદિર, જેવી વિરસતો છે, જેને એકવાર અચુક જોવી અને ભાવી પેઢીને ખાસ બતાવવી. નંદાદેવી નેશનલ પાર્ક, વેલી ઓફ ફલાવર્સ નેશનલ પાર્ક, કાઝીરંગા ગાઇલ્ડ લાઇફ સેન્ચુરી, વેસ્ટર્ન ઘાટ નેશનલ પાર્ક, સુંદર વન નેશનલ પાર્ક, જેવા અન્ય પ્રાકૃતિક વારસાના સ્થળો રાષ્ટ્રિય ઉદ્યાનમાં સામેલ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૭૪૫ સાથે પ્રથમ ક્રમે અને બીજા સ્થાને કર્ણાટક ૫૦૬ સાઇટસ સાથે છે.
મારી સંસ્કૃતિ મારી ઓળખ અને વ્યકિતત્વ છે, અને તેમને અન્ય લોકોથી આઘ્યાત્મિક, બૌઘ્ધિક અને ભાવનાત્મક રીતે અલગ પાડે છે. મારી સંસ્કૃતિ અને વિરાસતોનો મને ગર્વ છે. સંસ્કૃતિએ વિચારવાની એક રીત છે, મુલ્યોનો સમુહ છે, જે આપણા વર્તનને પ્રભાવિત કરે છે, પર્યટન માટે આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો અને તેની જાળવણી કરવી જરુરી છે. થોડા વર્ષો પહેલા ધોળાવીરા, અને તેલંગાણાના રામપ્પા મંદિર વિશ્વ ધરોહરમાં જાહેર કરતાં દેશમાં વિરાસતની સંખ્યા ૪૦ થઇ ગઇ છે. ૧૯૮૩ માં યુનેસ્કો સક્રિય થતાં જ ભારતના એક સાથે ત્રણ સ્થળોમાં અંજતા – ઇસોરાની ગુફા, તાજમહેલ અને આગ્રાનો કિલ્લાનો વલ્ડે હેરિટેજ ની સાઇટસમાં સામેલ કર્યા હતા.
આપણાં દેશમાં ૩૨ સાંસ્કૃતિક, ૭ પ્રાકુતિક અને એક મિશ્ર ધરોહર છે. દુનિયામાં આફ્રિકામાં ૯૬, આરબ રાષ્ટ્રોમાં ૮૬, એશિયા – પેસિફિકમાં ૨૬૮, યુરોપ અને ઉત્તર અમેરિકામાં ૫૨૮, લેટીન અમેરિકામાં અને કેબેરીયન દેશોમાં ૧૪૧ સાઇટ આવેલી છે. આજે દુનિયામાં ૬૬૮ સ્થળો સાંસ્કૃતિક, ૨૧૩ પ્રાકૃતિક, અને ૩૯ સ્થળો મિશ્ર છે. વિશ્વમાં ઇટાલી, ચીન, જર્મની, સ્પેન, ભારત, ફ્રાન્સ, મેકિસકો, બ્રિટન, ઇરાન, જાપાન દેશોની મહાન વિરાસતો જોવા જેવી છે. આપણા ગુજરાતમાં ૧૯૭૧ ના દુકાળ વખતે તળાવ ખોદતા ધોળાવીરા અને હડપ્પન સંસ્કૃતિની વિરાસત આપણને મળી હતી.
આ વર્ષની ઉજવણી થીમ ” આપત્તિઓ અને સંઘર્ષોના જોખમમાં મુકાયેલ વારસો ” છે, જેનો મુખ્ય હેતુ તેના રક્ષણ – જતનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. આપણાં ભૂતકાળમાં અને હજારો વર્ષ પહેલાની પ્રાચિન સંસ્કૃતિ સમયે નિર્માણ પામેલા આ અમૂલ્ય વારસાની જાળવણી જરુરી છે. આપણી મહાન વિરાસતો ઉપર પ્રકાશ પાડીને ભાવી પેઢીને તેનો ઇતિહાસ જણાવવો જરુરી છે. આપણી ધરોહર જ આપણો ઇતિહાસ છે, તેથી તેને આપણે જાણવો જરુરી છે. આપણા સ્મારકો, સ્થળો સાથેના સાંસ્કૃતિક વારસાનું જતન અને તેના મહત્વને પ્રોત્સાહન આપવાનો આજે શુભ દિવસ છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અનન્ય અને વૈવિઘ્યસભર છે, તેની ઉજવણીમાં લોકો અને ભાવી પેઢીને પ્રસંશા કરવા અને રક્ષણ કરવા પ્રોત્સાહીત કરે છે.
આપણા આ અમુલ્ય વારસાને, મુલ્યને કુદરતી આફતો, માનવ પ્રવૃતિઓ કે શહેરી કરણથી નુકશાન ન થાય કે વિનાશ ન થાય તે માટે તેનું રક્ષણ કરવું જરુરી છે. આપણાં દેશમાં પ્રાચીન ખંડેરો, ઐતિહાસિક સ્મારકો, કુદરતી લેન્ડસ્કેપ અને સાંસ્કૃતિક પ્રથાઓનો સમાવેશ થાય છે. ઘણા હેરિટેજ લોક પ્રિય પ્રવાસન સ્થળો હોવાથી સ્થાનીક અર્થતંત્રને વેગ આપે છે. ભવિષ્યની
પેઢીઓ માટે તેમનું સતત અસ્તિત્વ નકકી કરવા તેને સુરક્ષિત અને સાચવવા જોઇએ.
ગુજરાતની વિરાસત
ચાંપાનેર – પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન – ૮ મી શતાબ્દીથી ૧રમી શતાબ્દી
રાણકી વાવ – ૧૧ મી શતાબ્દી
ઐતિહાસિક શહેર– અમદાવાદ – ૧૫ મી શતાબ્દી
ધોળાવીરા કચ્છ – ૫૦૦ વર્ષ પહેલાનું પ્રાચિનનગર
અરુણ દવે