Abtak Media Google News

મુળ ધોરાજીના વતની અને મોરબી સિટીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સલીમભાઇ અજીજભાઇ મકરાણી છેલ્લા ૧૪ દિવસથી રાજકોટની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોરોના સામે હારી ગયા હતા.

Img 20200723 Wa0020

સલીમભાઇ મકરાણીને મોરબીથી ધોરાજી તેમના વતન ગયા તે દરમિયાન તેમને શરદી-ઉધરસ હોવાથી કોરોનાનો રિપોર્ટ કરાવવા રાજકોટ આવ્યા હતા.

Img 20200723 124306

તેમને ૧૪ માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા બાદ બપોરે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. ફરજ દરમિયાન કોરો વાયરસ સંક્રમિત થયેલા સલિમભાઇ મકરાણીને રાજકોટ હોસ્પિટલ ખાતે જ ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સલામી આપવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોએ મૃતક સલીમભાઇ મકરાણીને પુષ્પાંજલી આપી હતી. સલીમભાઇ મકરાણી જન્નત નસીન થતા તેમના બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા ગમગીની છવાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.