Abtak Media Google News

મોરબીના નવલખી રોડ પર કોલસાના પરિવહન કરતા વાહનોનો ત્રાસ અસહયો હદે વધી રહ્યો છે પુરપાટ વેગે કોલસાના ટ્રકો દોડતા હોય ત્યારે આજે લક્ષ્મીવાસના સરપંચ કાર લઈને જતા હોય ત્યારે ચાલુ ટ્રકમાંથી કોલસા પડતા અકસ્માત સર્જાતા રહી ગયો હતો અને કારમાં નુકશાન થવા પામ્યું છે જે મામલે જીલ્લા એસપી અને કલેકટરને રજૂઆત કરી છે

માળિયાના લક્ષ્મીવાસ ગામના સરપંચ જયદીપ સંઘાણીએ જીલ્લા કલેકટર અને એસપીને રજૂઆત કરી જણાવ્યું છે કે આજે તે પોતાની કારમાં મોરબી આવવા માટે નીકળ્યા હોય અને લુંટાવદર ગામ પાસે નવલખીથી કોલસા ભરેલ ટ્રક અતિશય સ્પીડમાં આવતી હોય જે ટ્રકમાંથી કોલસાના મોટા પથ્થરો ગાડી પર પડ્યા હતા જેથી ગાડીનો કાચ તૂટી ગયો છે તેમજ કોલસા પડતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં કારચાલક સરપંચનો બચાવ થયો હતો  જોકે નવલખી રોડ પર કોલસા ભરેલા ટ્રકનો આવો ત્રાસ કાયમી જોવા મળે છે અને અકસ્માતમાં કોઈનો જીવ જાય તો જવાબદારી કોની તેમ જણાવીને રોડ પર ચાલતા તમામ ઓવરલોડીંગ ટ્રકો અને ઓવર સ્પીડમાં જતા ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.