Abtak Media Google News

એલ.સી.બી.પોલીસ ઈન્સ. વી.બી.જાડેજાને ટ્રાફીકમાં અને તેમના સ્થાને એમ.આર.ગોધાણીયા મુકાયા

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી જિલ્લા પોલીસમાં બદલીનો ઘાણવો કાઢ્યો હોય એમ 24 પોલીસ કર્મચારીની બદલી કર્યા બાદ વધુ ચાર પીઆઇ અને પાંચ પીએસઆઈની બદલી કરવામાં આવી છે . જેમાં એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની ટ્રાફીક શાખામાં, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પીઆઇ એમ આર ગોધણીયા એલસીબી માં,બી ડિવિઝન પોઆઈ વી. એલ. પટેલ ની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અને પીઆઇ પી.એ.દેકાવડીયાને લિવ રિઝર્વ માંથી મોરબી સીટી બી ડિવિઝન માં બદલી કરવામાં આવી છે .

વધુમાં પાંચ પીએસઆઈ જેમાં માળીયા મી.પીએસઆઈ એન.એચ.ચુડાસમા ની એલસીબી (આર્થિક ગુના નિવારણ શાખા)માં, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન પીએસઆઈ બી ડી જાડેજા ની માળીયા મી., માળીયા મી. થી વી.બી રાયમાં ની મોરબી સીટી બી ડિવિઝન માં, ડીવાયએસપી કચેરી મોરબી પીએસઆઈ એન.એ.શુક્લની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અને મોરબી સીટી બી ડિવિઝન પીએસઆઇ એમ.પી.સોનારાની મોરબી સીટી એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.