Abtak Media Google News

વડોદરા યુવા શિબિરમાં મોદીનું વર્ચ્યુઅલ સંબોધન: સાત દિવસીય સત્સંગ જ્ઞાનયજ્ઞમાં સી.આર.પાટીલ, સંતો, મહંતોની ઉપસ્થિતિ

કારેલીબાગ સ્વામીનારાયણ મંદિર ખાતે  સપ્તદીનાત્મક જ્ઞાનયજ્ઞમાં  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લાઈવ ઉપસ્થિત રહી સંબોધન કરેલ હતુ.ભાજપના  પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ અને  ગુજરાત રાજયના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા તથા વડોદરાના  મેયર કેયુરભાઈ  રોકડીયા વગેરે મહાનુભાવો  આપ્રસંગે  ખાસ ઉપસ્થિત રહેલ હતા.આ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા  સંતો દ્વારા સત્સંગ કથાનો  લાભ ભકતોને પ્રાપ્ત થયો હતો. તેમજ રાત્રીનાં મુંબઈના પ્રસિધ્ધ સમર્પણ ફયુઝન લેન્ડને ધમાકાદાર સંગીતનો  કાર્યક્રમ યોજાયો હતો. આ સંગીતના કાર્યક્રમને દેશ વિદેશના હજારો હરિભકતોએ માણ્યો હતો.

વડોદરાના કારેલીબાગ સ્વામીનારાયણ મંદિર ખાતે  ચાલી રહેલા સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં આજ તા.19ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વર્ચ્યુઅલ લાઈવ ઉપસ્થિત રહ્યા હતા  જયારે ગુજરાત   ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા  શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા વિગેરે  મહાનુભાવો આ પ્રસંગે  રૂબરૂ હાજર રહેલ હતા.તા.20ના ભારત સરકારના  રક્ષામંત્રી  રાજનાથસિંંહજી પણ આ કાર્યક્રમમાં  રૂબરૂ  હાજરી આપશે.

12

આ શિબિરમાં વર્ચ્યુઅલ જોડાયેલા મોદીએ જણાવ્યું હતુ.નવી વિચાર સરણી અને જૂની સંસ્કૃતિ બંનેને સાથે લઈને આગળ  વધવા વડોદરામાં ’યુવા શિબિર’માં પીએમ મોદી યુવા શિબિરમાં પીએમ મોદાએ વર્ચ્યુઅલ સંબોધન કરેલ હતુ. “આજે આપણે સામૂહિક સંકલ્પ લઈ રહ્યા છીએ, નવા ભારતના નિર્માણ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. એક નવું ભારત, જેની ઓળખ નવી, દૂરંદેશી અને પરંપરાઓ પ્રાચીન છે. તેમ મોદીએ જણાવ્યું હતુ.

13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મીએ વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત ’યુવા શિબિર’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યુ છે. સ્વામિ નારાયણ મંદિર, કુંડલધામ અને સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સી.આર.પાટીલ મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ ખાતે 7 દિવસીય સત્સંગ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે.’સમગ્ર માનવ જાતને દિશા આપવી જોઈએ’ તેમ પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, આજે આપણે સામૂહિક સંકલ્પ લઈ રહ્યા છીએ, નવા ભારતના નિર્માણ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. એક નવું ભારત, જેની ઓળખ નવી, દૂરંદેશી અને પરંપરાઓ પ્રાચીન છે.

આવા નવા ભારત, જે નવી વિચારસરણી અને વર્ષો જૂની સંસ્કૃતિ બંનેને સાથે લઈને આગળ વધે છે, તેણે સમગ્ર માનવજાતને દિશા આપવી જોઈએ.ભારત આજે વિશ્વની નવી આશા છે’ તેમ કહી પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, કોરોના યુગના સંકટ વચ્ચે વિશ્વમાં રસી અને દવાઓ પહોંચાડવાથી લઈને વિખરાયેલી સપ્લાય ચેઈન વચ્ચે આત્મનિર્ભર ભારતની આશા સુધી, વૈશ્વિક અશાંતિ અને સંઘર્ષો વચ્ચે શાંતિ માટે સક્ષમ રાષ્ટ્રની ભૂમિકા માટે, ભારત આજે વિશ્વની નવી આશા છે. શિબિરનો હેતુ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં વધુ યુવાનોને સામેલ કરવાનો છે. તે એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત વગેરે પહેલો દ્વારા નવા ભારતના નિર્માણમાં યુવાનોને ભાગીદાર બનાવવાનો પણ હેતુ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.