Abtak Media Google News

જાગનાથ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ મધ્યે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા દિક્ષા મહોત્સવનું આજે જાજરમાન સમાપન થયું છે. મુમુક્ષ હંસાબેન મહેતાનું ‘હેતરસા’ અને મુમુક્ષ ચાંદની દોશીનું નામકરણ ‘દેવર્ષિતા’ થયું છે. આજે પૂ.કલ્પજય સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં તથા પૂ.યશોવિજય સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં દિક્ષા અંગીકાર કરી છે. આજે દિક્ષા મહોત્સવના અંતિમ દિવસે સવારે ભવ્યાતિભવ્ય સામૈયા, શુભ મુહૂર્તે દિક્ષા વિધી તેમજ બપોરે સધાર્મિક ભક્તિ યોજાઈ હતી.20190125134751 Img 2547 1હજારો જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિક્ષાર્થીઓએ દિક્ષા અંગીકાર કરી છે. મહોત્સવના લાભાર્થી જામભાણવડ નિવાસી મહેતા પરિવાર અને લતીપુર નિવાસી દોશી પરિવાર હતા. સંસારના સ્વાર્થમય સંબંધોથી અકળાઈ ડગલેને પગલે હિંસાના તાડવ નૃત્ય કરી રહ્યાં છે.Img 20190125 Wa0056 એવા બિહામણા સંસારથી ભયભીત બની નશ્વ પદાર્થના શ્રણીક સુખમાં આશકત ન બનતા શાશ્વ સુખના ભોક્તા બનવા જેઓના હૃદયમાં વર્ષોથી ધરબાયેલી ‘સંયમ કયારે મળશે’ની અદમ્ય ભાવના સાથે ઉત્સુક બનેલા હંસાબેન મહેતા અને ચાંદની દોશીએ આજે સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.